પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૯
કંપાલા, તા. ૨૧-૫-૧૯૭૦
સવારે ૧૧-૪૫ વાગે યોગીજી મહારાજ સભામાં પધાર્યા. આશીર્વાદ આપતાં કહ્યું કે 'પચાસ લાખ રૂપિયા આપો તોપણ અમે અહીં ન આવીએ, પણ આ તો નૈરોબી પ્રતિષ્ઠા હતી તેથી આવવાનું થયું. અહીં આવ્યા, તમને બધાને રાજી કર્યા, હવે લંડન જઈશું ત્યાં બધાને રાજી કરીશું. નવા નવા મુમુક્ષુઓને વર્તમાન ધરાવીશું ને દારૂ-માંસ છોડાવીશું... અમે નૈરોબીથી બેસવાના હતા (લંડન જવા માટે) પણ યુગાન્ડાના હરિભક્તો રહી જાય એટલે અહીં ખાસ તમને મળવા માટે આવ્યા છીએ. પછી જેને ન અવાયું હોય એની વાત જુદી (યુગાન્ડાના કેટલાક હરિભક્તો હજુ દર્શને આવ્યા ન હતા.) પણ અમે તો અહીં આવી ગયા.'
જે હરિભક્તો હજુ આવી શક્યા ન હતા એમને સ્વામીશ્રીએ ટેલિફોન કરી બોલાવ્યા હતા. ભગવાન ભજાવવાની આવી ગરજ સાચા પરમાર્થી સંત વગર કોને હોય !
'અમો પહેલાં બે વાર આ દેશમાં પધાર્યા. આ વખતે અમારી તબિયત સારી નહોતી છતાં તમને રાજી કરવા પધાર્યા. હવે કંઈ અહીં વારે ઘડીએ અવાય નહિ... અમારે ન આવવું એમ નથી, પણ નિમિત્ત વગર અવાય નહિ. આટલો બધો ખર્ચ કરીને આવવું તે આપણે વિચાર કરવો જોઈએ ને !' સ્વામીશ્રીએ હેતભાવે સંતસમાગમની મહત્તા સમજાવતાં કહ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-48.7:
The Greatest Advantage of a Human Body
“… Thus, there is no greater advantage of possessing this human body than being able to constantly contemplate upon God in one’s heart – just as a person engrossed in the vishays constantly contemplates upon them in his antahkaran. Such a person is also the greatest amongst all devotees of God…”
[Gadhadã II-48.7]