પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૩
નકુરુ, તા. ૧૪-૫-૧૯૭૦
અહીં ઉતારે યોગીજી મહારાજ જમીને ઊઠ્યા ને કાંતિભાઈ (શ્રીહરિ સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ) રજા લેવા આવ્યા. સ્વામીશ્રી ત્યાં જ બેસી રહ્યા અને કહે, 'તમે વર્તમાન ભલે ન ધરાવો પણ અમારું આટલું વેણ રાખો કે તમારે પીવું નહિ...' એવા તે સ્નેહાર્દ્રભાવે સ્વામીશ્રી બોલ્યા કે કાંતિભાઈ સ્વામીશ્રી સામું જોઈ ન શક્યા.
કાંતિભાઈ મૌનથી સંમત થયા.
'તમારે ખાવું નહિ, એટલું વેણ રાખો. ભલે તમે વર્તમાન ન ધરાવો, પણ આટલું વેણ રાખો...' એવી તો હૃદયની વાણીથી સ્વામીશ્રી બોલ્યા કે વજ્ર પણ ઓગળી જાય. કાંતિભાઈ ગળગળા થઈ ગયા. એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં અને એમણે મૌનથી જ સ્વામીશ્રીની આજ્ઞાનો સ્વીકાર કર્યો. પાંચ મિનિટ કથામાં બેસી, હળવે હૈયે સ્વામીશ્રીની રજા લઈને ગયા. સ્વામીશ્રીનો સંકલ્પ એમના અંતરનો નિઃસ્વાર્થ ભાવ, સૌને વ્યસન છોડવાની અદ્ભુત પ્રેરણા આપતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-33.6:
Things a Devotee Can't do without
“Even at present, the attachment a devotee has for the ten types of bhakti – engaging in discourses related to God, singing devotional songs, chanting His holy name, etc. – as well as the attachment he has for swadharma, vairãgya, ãtmã-realisation, keeping the company of the Sant and realising the greatness of God is such that he can in no way do without them…”
[Gadhadã III-33.6]