પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૫૯
મોમ્બાસા, તા. ૭-૫-૧૯૭૦
મંદિરમાં સભાપ્રસંગમાં વાતમાં વાત નીકળી ત્યારે યોગીજી મહારાજ કહે, 'આપણે કરમશીભાઈને ત્યાં મહારાજનાં પગલાં છે તે જોવા જવું છે...'
'એ ઘર ખાલી કરી નાખ્યું ને પગલાં નથી...' હરિભક્તોએ કહ્યું. કરમશીભાઈને ત્યાં મહારાજે દિવ્ય દેહે પધારી ચંદનનાં પગલાં પાડેલાં તેનાં દર્શનની વાત સ્વામીશ્રી કહી રહ્યા હતા. એટલે સ્વામીશ્રીએ વાત મૂકી નહિ. કહે :
'ઘર તો છે ને, પ્રસાદીની જગા છે ને, આપણને એ નળિયાને તો અડવા દેશે ને... આપણ ક્યાં કંઈ લેવું-દેવું છે... આપણે તો દર્શન કરવા છે. બધા સંતો-હરિભક્તોને દર્શન કરાવવા છે કે અહીં મહારાજે પગલાં પાડેલાં... તે (ગમે તે) ઘરધણી ના નહિ પાડે...'
પ્રસાદીના મહારાજનાં પગલાંનાં દર્શનનો સ્વામીશ્રીએ આટલો બધો આગ્રહ સેવ્યો ! મહિમાનું દર્શન કરાવ્યું ! ઘર બંધ હશે તો છેવટે નળિયાને અડીને પણ પ્રત્યક્ષ દર્શનનો આનંદ લેશું, પાવન થશું. આવો મહિમા મહારાજના ધારક સત્પુરુષ વગર કોણ સમજાવે ?
ભાવનગરમાં પણ પ્રભુદાસ શેઠને ત્યાં, મહારાજ ને સ્વામી દિવ્ય દેહે પધારેલા, ને ચંદનનાં છાંટણાં તથા ચંદનના હાથના છાપા પાડેલા, એ સ્થાનનો મહાતીર્થ જેવો મહિમા સમજી, સ્વામીશ્રી હંમેશાં દર્શન કરવા જતા, સૌને દર્શન કરાવતા. ુ
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Jetalpur-1.6:
The Means to Transcend Maya
“… Thus, the means to transcend mãyã is as follows: When the jiva comes into contact with the manifest form of Shri Purushottam Bhagwãn – who is beyond mãyã and who is the destroyer of mãyã and all karmas – or the Sant who has attained that God, then by accepting their refuge, the jiva can transcend mãyã.”
[Jetalpur-1.6]