પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૫૦
મોમ્બાસા, તા. ૧૨-૪-૧૯૭૦
સાંજની સભામાં પટેલ સમાજમાં યુવકોનો કાર્યક્રમ હતો. એમણે ડમ્બેલ્સના વિવિધ દાવો અને દાંડિયા-રાસ સુંદર કરી બતાવ્યા. યોગીજી મહારાજ બહુ રાજી થયા. સભાજનો પણ રંજન થયા હતા.
આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું, 'આજે શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી અદા બધી અહીં રાસ જોવા આવ્યા હતા. બધા સભામાં હાજર હતા. તમને દેખાય નહિ. બધા રાજી થઈ ગયા. આટલે દૂર દેશ આવી ભક્તિ જોઈને રાજી થઈ ગયા. જેવા મહારાજ છતાં સંતો રમતા એવો જ રાસ સૌ સંતો-હરિભક્તો રમ્યા...' એમ અંતરના આશીર્વાદ આપ્યા.
સ્વામીશ્રી સમક્ષ યુવકો રોજ જુદા જુદા પ્રયોગો - બૅલેન્સના પ્રયોગો, જોબનપગીનો સંવાદ, લાઠીદાવ, ડબલ બાર ઉપર કસરત, પિરામિડ્સ, આસનો, લેઝીમ અને બૅન્ડ વગેરે સુંદર કરી બતાવતા હતા અને સ્વામીશ્રી રોજ રોજ યુવકો ઉપર અઢળક ઢળતા હતા. એક દિવસ મંદિરમાં ઠાકોરજી સમક્ષ પણ યુવકો પાસે પ્રયોગો કરાવ્યા હતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-3:
The Importance of Bhakti
“If one has bhakti towards God coupled with knowledge of His greatness, one will never fall from dharma – even if one has a lesser degree of ãtmã-realisation, vairãgya and dharma. This is because he who realises God’s greatness thinks, ‘If Brahmã and all the other demigods follow God’s commands, then how can I not follow His injunctions?’ Bearing this in mind, he always abides by the niyams prescribed by God. ”
[Vartãl-3]