પ્રેરણા પરિમલ
પૈસા વાપરવા કરતા બચાવવા વધુ અગત્યના છે...
(તા. ૦૨-૦૧-૨૦૦૮, મુંબઈ.)
અજમેરાના પુત્ર દિલ્હી અક્ષરધામમાં સેવા કરવા માટે પ્લેનમાં મુંબઈથી દિલ્હી ગયા હતા. એના દાદાએ શિખવાડ્યું હતું કે આપણી આબરુ પ્રમાણે તારે હંમેશા ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરવી. પરંતુ એણે ઇકોનોમીક ક્લાસમાં મુસાફરી કરીને ૭૫૦૦ રૂપિયા બચાવ્યા હતા. સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં તે આ રકમ ઠાકોરજીને અર્પણ કરવા માટે આવ્યો હતો.
સ્વામીશ્રી એની આવી ભાવનાથી રાજી થયા અને કહ્યું : 'પૈસા વાપરવા કરતાં બચાવવા વધારે અગત્યના છે.'
આ રીતે નાના બાળકમાં રસ લઈને સ્વામીશ્રીએ તેને વ્યવહાર શિખવાડ્યો.
Vachanamrut Gems
Loyã-1:
Highest Level of Gnan
"A person with the highest level of gnãn, however, would not be deluded even after seeing any type of pure or impure actions performed by God, and his conviction would not diminish. Moreover, even if the person who initially convinced him of God were to say, 'He is not God,' he would feel, 'This person must be mad.' Such a person can be described as one with the highest level of gnãn."
[Loyã-1]