પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૦
ગોંડલ, તા. ૩૦-૧૨-૧૯૬૯
સાંજે યોગીજી મહારાજ સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા. ઉત્તરીય ઉતારી ખુલ્લે શરીરે બેઠા હતા. ત્યાં શયન આરતીનો ડંકો પડ્યો. એ સાંભળી સ્વામીશ્રીએ તુરત જ બધા યુવકો તથા અમને સંતોને આરતીમાં મોકલ્યા. પોતે ખુલ્લે દિલે, બાથરૂમમાં બેસી રહ્યા. અમે આરતીમાંથી આવ્યા પછી જ સ્વામીશ્રીએ સ્નાનવિધિ શરૂ કર્યો. આવો પ્રસંગ પહેલી જ વાર બન્યો હતો. સ્વામીશ્રી કહે,'આરતીનો ડંકો પડે તો ગમે તેવું કામ પડતું મૂકીને પણ દર્શન કરવા દોડી જવું.'
આરતીનાં દર્શનનો આવો ખટકો એ અષ્ટ પ્રકારની પ્રતિમામાં સાક્ષાત્ ભગવાનનો ભાવ હોય તો જ આવી શકે. એ ભાવ સ્વામીશ્રીના ઉદ્ગારોમાં હતો. પોતે ઘણીવાર એ ભાવને શબ્દોમાં વણી લેતાં કહેતા,'કટ પહોંચી જવું.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-62:
Vital Inclinations
“If, however, one does not have intense love for God, one should strengthen only ãtmã-realisation by thought. Why? Because a devotee of God should either possess resolute ãtmã-realisation or extremely profound love for God. If a person is not firm in either one of these two inclinations, he should strictly abide by the niyams of this Satsang; only then will he be able to remain a satsangi, otherwise he will fall from Satsang.”
[Gadhadã II-62]