પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦૦
ગોંડલ, તા. ૯-૧૨-૧૯૬૯
વચનામૃત મધ્ય પ્રકરણનું સાતમું વંચાતું હતું. એ ઉપર નિરૂપણ કરતાં યોગીજી મહારાજ એકદમ ભાવમાં આવી કહે,'પચાસ જણ હોય પણ તે શું કરે છે તે બધી ખબર પડી જાય. કોણ સૂઈ રહે છે ? કોણ સેવા કરે છે ? તે સૂતાં સૂતાં ખબર પડે. માટે એમ ન માનવું કે સ્વામી સૂઈ ગયા છે. સામે જોઈને બેસી રહેવું (આંખો પહોળી કરીને બતાવ્યું) એ સેવા નહિ...'
ભગવાનના અંતર્યામી સ્વરૂપનું દર્શન પણ ક્યારેક સ્વામીશ્રી કરાવતા. ત્યારે જ સૌને જાણપણું રહે કે આ પુરુષથી કશું છુપાવી શકાય એમ નથી. સહેજે નિયમન રહે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-46:
Result of aversion to God or His Sant...
“… However, one who bears an aversion towards God or His Sant will certainly not attain the abode of God…”
[Gadhadã II-46]