પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-4-2017, મસાઈમારા
સ્વામીશ્રી ભોજન કરવા વિરાજ્યા ત્યારે થોડા દિવસો પહેલાં હરિનારાયણદાસ સ્વામીને જે ગમખ્વાર અકસ્માત થયો હતો અને પછી સ્વામીશ્રીના પ્રતાપથી તબિયત આશ્ચર્યકારી રીતે સુધારા ઉપર હતી તેની વાતો નીકળી. તેઓને શ્વાસ લેવાની જગ્યાએ જ - ફેફસાંમાં બ્લીડિંગ થતું હતું. સંતો સ્વામીશ્રીને કહે : ‘આપે કહ્યું કે ‘સીલ થઈ જશે,’ અને થોડી જ વારમાં સીલ થઈ ગયું...!’
આ અગત્યની અને મોટી વાત હતી, કારણ કે તે બ્લીડિંગ અટકાવવાની કોઈ દવા જ નથી.’
વળી, સંતો કહે : ‘આજે 12મો જ દિવસ છે, છતાં આટલું સારું થઈ ગયું ! આ ચમત્કાર સિવાય કાંઈ નથી.’
ગુણવત્સલદાસ સ્વામી જમાડતાં કહે : ‘આપે રક્ષા કરી.’
સ્વામીશ્રીએ કહ્યું : ‘ભગવાને રક્ષા કરી.’
સ્વામીશ્રીએ તરત જ યશ-કળશ ઇષ્ટદેવના શિરે ઢોળી દીધો.
Vachanamrut Gems
Gadhadã II-15:
The Power of Thought
"… In the very same way, if the inner enemies of lust, anger, etc., hinder a person while he is striving to attain liberation, he would harbour the same sort of enmity towards them as well; moreover, that enmity would never diminish. Whoever applies such a thought can eradicate all swabhãvs with that thought alone."
[Gadhadã II-15]