પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૭
ગોંડલ, તા. ૩-૧૨-૧૯૬૯
સવારે ઉકાળો પીધા પછી યોગીજી મહારાજ આરામમાં જઈ રહ્યા હતા. એવામાં પૂજારી નિર્ગુણ સ્વામી સ્વામીશ્રીને બે-ત્રણ પ્રકારની ઘડિયાળ (દિવાર ઉપર લટકાવવા માટે) બતાવવા લાગ્યા અને પૂછ્યું કે આપ કઈ પસંદ કરો છો ? તુરત સ્વામીશ્રી કહે,'ઈશ્વર સ્વામી કરશે, ઈ એમને પૂછો. કલ્યાણનું હોય તો મારી પાસે લાવવા...' એમ સૌને ગમ્મત કરાવતા પોતાનું શું કાર્ય છે એ સ્પષ્ટ જણાવી દીધું. પછી આપણે એમનો કઈ રીતે ઉપયોગ કરવો, એ વિચારી લેવાનું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-52:
Path of Renunciant and Householder are Different
“… In this world, the path of a renunciant and the path of a householder are both different. That which befits a householder is not appropriate for a renunciant, and that which befits a renunciant is not appropriate for a householder. One who is wise will realise this, but others will not.”
[Gadhadã II-52]