પ્રેરણા પરિમલ
જ્ઞાનની દૃષ્ટિ
તા. ૧૧-૦૨-૨૦૦૭, મુંબઈ
આજે પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ વર્તમાન પ્રવાહોની વાતો ચાલી. સામાજિક અને રાષ્ટ્રીય સમસ્યાઓની કંઈક કડવી વાસ્તવિકતાની વાતો નીકળતાં એક જણે કહ્યું, 'આ દેશમાં રહેવા જેવું જ નથી.'
સ્વામીશ્રીએ તેમને રોકતાં કહ્યું : 'પણ આપણે શું કામ છોડીને જવું ?'
'જોકે આમ તો જ્યાં જાવ ત્યાં બધે એટલા જ પ્રશ્ન છે એટલે આ દુનિયામાં રહેવા જેવું જ નથી.'
સ્વામીશ્રીએ નવો જ દૃષ્ટિકોણ આપતાં કહ્યું : 'પણ આપણે દુનિયામાં ક્યાં રહીએ જ છીએ ? આપણે તો બહાર જ છીએ ! જ્ઞાનની દૃષ્ટિ હોય તો દુનિયામાં છીએ તોય બહાર જ છીએ.'
પ્રત્યેક સ્થિતિમાં જ્ઞાનનું કવચ ઓઢીને સુખિયા રહેવાની ચાવી સ્વામીશ્રીએ સહજમાં સમજાવી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-63:
If a Person does Develop a Grudge
“… On the other hand, if a person does develop a grudge with God or His devotees, I do not even like to look at him. In fact, My anger with such a person never subsides…”
[Gadhadã II-63]