પ્રેરણા પરિમલ
સેવકની પણ સેવા
૧૯૬૮ના વર્ષમાં પ્રમુખસ્વામી મહારાજ કલકત્તાનું વિચરણ પૂરું કરી ગોંડલ આવ્યા. દિવાળીના દિવસો એટલે સ્વામીશ્રી ગોંડલ જ રોકાયા. તે દિવસોમાં સેવક સંતની જમણા હાથની પહેલી આંગળી પાકેલી, તેથી તેઓ પોતાનાં ધોતિયાં પણ સ્નાન કર્યા પછી નિચોવી શકાતાં નહીં. સ્વામીશ્રીનાં વસ્ત્રો ધોવા-નિચોવવાની સેવા ગોંડલમાં રામોદના સેવાભાવી ભક્ત મોહનભાઈ પટેલ કરતા. આંગળી પાકી હોવાને કારણે સેવક સંતનાં વસ્ત્રો પણ તેઓ સૂકવવા લઈ જતા. રોજના આ ક્રમ મુજબ સેવક સંત એકવાર સ્નાન કરી તેમનાં ભીનાં વસ્ત્રો બાથરૂમમાં જ રાખી સ્વામીશ્રી માટે ગરમ પાણી લેવા ગયા. આ દરમ્યાન સ્વામીશ્રીને તક મળી ગઈ. ગરમ પાણી લાવીને સેવક સંતે બાથરૂમમાં મૂક્યું. ત્યારે જોયું તો તેમનાં ધોતિયાં ધોઈ સ્વામીશ્રી વાટ જોતાં બેઠેલા. સેવક આશ્ચર્ય સાથે ઉદાસ થઈ ગયા. બોલી ઊઠ્યા, 'આપે શા માટે વસ્ત્રો ધોયાં ?' તેમણે પ્રેમથી કહ્યું, 'તમારી આંગળી દુઃખે છે ને એટલે ! ક્યારેક તો મારે સેવા કરવી પડે ને ! તમે આટલી બધી સેવા કરો છો, તો મારેય થોડી તમારી સેવા કરવી જોઈએ ને !'
Vachanamrut Gems
Gadhadã II-4:
Constant Contemplation on God is Not a Small Feat
"Indeed, it is not a small feat to be able to contemplate upon God constantly. Because if one were to leave this body while contemplating upon God, one would attain an extremely elevated state."
[Gadhadã II-4]