પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-9-2017, ઍડિસન
પૂજા પછી સ્વામીશ્રીએ ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’માંથી વાત કરતાં કહ્યું :
“એક બાવો માનને લીધે જાતે સળગ્યો. લોકો કહે - ‘પકડો, બાંધો.’ પણ એ કહે - ‘ભાગી થોડા જવાના ?’ એમ સળગીને મરી ગયો.
સૌ પાપોમાં મોટું પાપ, કલંક છે - માન. સાવધાન ! સાવધાન ! કાંઈક બને તો સીધા માન ઉપર નજર ફેરવવી, માન છે ? એ જ હોય. સત્સંગ બિલોરી કાચ જેવો છે. એક્ઝેક્ટ દેખાય. તમારે ચહેરા ઉપર ડાઘ હોય તો કાચમાં દેખાય કે નહીં ? કાચના ચૂરેચૂરા કરી નાંખો તોય ડાઘ જાય નહીં. પોતાના દોષ, અવગુણ વિચારો, નહીં તો તકરાર, ધમાધમ. યોગી મહારાજ કહેતા - ‘માન એક, લેનારા અનેક.’ તમને લાગે કે ‘આણે મારું અપમાન કર્યું,’ પણ કોઈ કોઈનું અપમાન કરતું નથી. તમારામાં દોષ છે એટલે અપમાન લાગે છે.”
Vachanamrut Gems
Jetalpur-3:
Constantly Engage in Worship
“… Never allow any lapse in the observance of non-egotism and other vows. Be extremely vigilant. Believe your self to be distinct from your body. Offer bhakti to Shri Purushottam, Shri Narnãrãyan, diligently and scrupulously. Constantly engage in worship coupled with remembrance of God; its bliss will equal the bliss of actually having the darshan of God.”
[Jetalpur-3]