પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-9-2017, રોબિન્સવિલ
કાર્યક્રમમાં આગળ વધતાં સાન ડિયાગો સ્ટેટ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રખર વિદ્વાન શ્રી સ્થાનેશ્વરજી તિમલ્સિનાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રથમ મહંત સ્વામી મહારાજને મળ્યાની અનુભૂતિ વ્યક્ત કરતાં કહ્યું :
“આ સ્વામિનારાયણ સિદ્ધાંતસુધા ગ્રંથ લેવા જ્યારે હું એલ.એ. ગયો ત્યારે મહંત સ્વામીજી મહારાજનાં મને દર્શન થયાં. તેમણે મને પૂછ્યું - ‘તમે નેપાળ કેમ છોડ્યું ? એવી શી મજબૂરી આવી ?’ મેં કહ્યું : ‘તે વખતે ત્યાં માઓવાદીઓનું આંદોલન ચાલી રહ્યું હતું. માઓવાદીઓ સંસ્કૃત અને સંસ્કૃત ભણાવનારને નિશાન બનાવતા હતા. એક દિવસ હું કૉલેજમાં ભણાવતો હતો ત્યારે તેમણે પથ્થરમારો કર્યો. હું બેભાન થઈ ગયો. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જાગ્યો તો ખબર પડી કે મારું માથું તૂટી ગયું હતું, પણ તેથી પણ વધારે મારું હૃદય તૂટી ગયું હતું.
આપણા દુશ્મનો છે, પણ આપણે પણ કમ નથી. ભારતીય સંસ્કૃતિને આંચ નહીં આવવા દઈએ, કારણ કે આપણને માર્ગદર્શન આપવાવાળા આવા સંતો છે. તેથી આપણી શક્તિનો કોઈ તાગ નહીં કાઢી શકે. આપણી શક્તિનો કોઈને અંદાજ નથી, કારણ કે આપણે સત્ય અને અહિંસા સાથે જોડાયેલા છીએ.
પછી સ્વામીએ મારા માથા પર સ્પર્શ કર્યો અને પૂછ્યું : ‘ક્યાં વાગ્યું છે ?’ અને બે-ત્રણ વાર બોલ્યા : ‘ભગવાને રક્ષા કરી.’
આ અનુભવથી મારી આંખો ભરાઈ આવી. મેં વિદાય લીધી. મારી આંખોમાં આંસુ જોઈને કાર ચલાવી રહેલા મારા વિદ્યાર્થીએ પૂછ્યું કે ‘શું થયું ?’ ત્યારે મેં તેને કહ્યું : ‘આજથી ત્રણ મહિના પહેલાં મારી માતા સ્વર્ગવાસી થયાં અને તેમના 45 દિવસ બાદ મારા ગુરુજી; જેમણે મને બધું ભણાવ્યું હતું, તે પણ સ્વર્ગવાસી થયા. પણ આજે જ્યારે સ્વામીશ્રીએ મારા માથે સ્પર્શ કર્યો ત્યારે મને લાગ્યું કે મારી માતા મને સ્પર્શી રહી છે. મારા ગુરુજી ફરી એક વાર મને સ્પર્શી રહ્યા છે. હું એ ભાવથી વિભોર થઈ ગયો અને મારી આંખો અને હૃદય ભરાઈ આવ્યાં.
पिता तुल्य छाया, जनी तुल्य माया
सखा बन्धु पाया, सहारा निभाया।
गुरो ! मुश्किलो में भूजा ले ऊठाया
ऋणी में मुझे आपका जो बनाया॥”
આવો અનુભવ તો સ્વામીશ્રીના યોગમાં આવનાર દરેકને થાય છે.
Vachanamrut Gems
Amdãvãd-3:
A True Servant is a Humble Servant
“Yet, it appears to Me that an egotistical servant will not be liked by anyone. To have an egotistical servant serve one is like when during a famine, even the rich survive by eating kodrã; having an egotistical servant to serve one is similar to this. The master is not as pleased with an egotistical servant as much as he is with a humble servant. Therefore, he who does whatever pleases the master is a true servant.”
[Amdãvãd-3]