પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-9-2017, રોબિન્સવિલ
આજે સ્વામીશ્રી શિબિર સ્થળે સ્ટેજ પર પધાર્યા. શિબિર અંતર્ગત ‘ઇતિ વચનામૃતમ્’ પરિસંવાદ કાર્યકરોએ સ્વામીશ્રી સમક્ષ રજૂ કર્યો. સ્વામીશ્રીને વિવિધ પ્રશ્નો પૂછાયા. તે પ્રશ્નોત્તરી સારરૂપે :
પ્રશ્ન : ‘સમગ્ર વિશ્વમાં સત્સંગ થશે ત્યારે આપ કેવી રીતે સુખ આપશો ?’
સ્વામીશ્રી : ‘એક-એક સાધુ પાછળ લાખ-લાખ માણસ ફરશે - સ્વામીએ વાતું કરી છે તે સાચું થશે. એક મુખ્ય હોય. પછી એની નીચે બીજા બધા હોય. એમ થશે. બધું સરસ થશે. મહારાજ-સ્વામીનો માસ્ટર પ્લાન છે. બધું કરશે. આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’
સ્વામીશ્રી હસ્તામલકવત્ જોતા હોય તેમ ઉતાવળે બોલી ગયા.
પ્રશ્ન : ‘કૃપા કરીને પાછળ ચક્ર ફરતું હોય, તેજ તેજ નીકળતું હોય એવો ભડકો બતાવો ને ? કેવો હશે ?’
સ્વામીશ્રી : “મહારાજ-સ્વામી આવ્યા. હાથી જેવા, પણ કીડી બન્યા. પાછા હાથી બનાવવાના એમને ? બધું છુપાવીને વર્તે છે. એક મુક્તમાં અનંત સૂર્યનું તેજ છે. એક સૂર્ય સામું જોવાતું નથી તો અનંત સૂર્યની સામે કેમનું જોવાય ? તેઓ અતિ કૃપા કરી આપણા જેવા થયા. ભળી ગયા.
મહારાજને સગાં-સંબંધી સાથે કોઈ લેવા-દેવા નહીં, પણ બધાએ આગ્રહ કર્યો ને સગાં-સંબંધીઓને બોલાવડાવ્યાં. બ્રાહ્મણપણું બતાવ્યું. એના કરતાં ઐશ્વર્ય બતાવ્યું હોત તો લોકો ભૂત જ સમજત. એટલે મહારાજ આપણી રીતે વર્ત્યા છે. મહારાજે જન્મ લીધો, આપણા જેવા થયા, એટલે સુખ આવે છે. નહીંતર ભડકો બતાવે તો આપણને સુખ ન આવે.
જેમ જેમ સમજણ આવતી જશે, તેમ તેમ જ્ઞાનનો પ્રકાશ થતો જશે. મોક્ષ માટે શું કરવાનું છે ને શું નથી કરવાનું, તે ખબર પડતી જશે. પ્રકાશ અંતરમાં થાય. દાસાનુદાસ થવાય, મહિમા સમજાય. એમાં જેટલો આનંદ છે, તેવો ભડકામાં આનંદ નથી.
મહારાજે કહ્યું : ‘અમે પરચા આપવાના બંધ કર્યા છે. મહારાજ પોતે આવ્યા તે પરચો નહીં તો શું ? અમેરિકાના પ્રૅસિડન્ટ દેશની ઝૂંપડપટ્ટીમાં આવે તે કેવું કહેવાય ? મહારાજે એવું કર્યું ! આપણી વચ્ચે રહ્યા. આપણા જેવા થયા. એટલે મહારાજ-સ્વામીમાં જ પ્રીતિ કરવી. બીજું બધું ફંટાઈ જવાય તેવું છે.”
Vachanamrut Gems
Gadhadã II-60:
Result of Having a Grudge with Devotees
“… However, if one is hurt by the words of devotees of God – as if one has been shot in the heart by some arrows – and if a grudge develops from that hatred to such an extent that it is not resolved as long as one lives, then such a person is like an outcast. Even if such a person possesses virtues such as dharma and renunciation or performs austerities, it is all worthless. In fact, even if he endeavours in a million other ways, his jiva will not attain liberation.”
[Gadhadã II-60]