પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-9-2017, રોબિન્સવિલ
સ્વામીશ્રી સભામાં પધાર્યા. હવે શિબિર અંતર્ગત કાર્યક્રમ શરૂ થયો - ‘ઇતિ વચનામૃતમ્ ।’
વચનામૃતમાં શ્રીજીમહારાજ સાથે પ્રશ્નોત્તરી થતી તેવી જ રીતે સ્વામીશ્રી સાથે પણ પ્રશ્નોત્તરીનો દોર ચાલ્યો.
પ્રશ્ન : ‘સ્વામી ! હું આપનો ફોટો પાડું ને શ્રીજીમહારાજનો કે પ્રમુખસ્વામી મહારાજનો જ ફોટો આવી જાય છે, આવું કેમ ?’
સ્વામીશ્રી ભાર દઈને કહે : ‘એ જ છે.’
જબરજસ્ત તાળીઓ પડી.
પ્રશ્ન : ‘શ્રીજીમહારાજે અંતકાળે તેડવા આવવાનું વરદાન આપ્યું છે, પણ અમે શ્રીજીમહારાજને તો જોયા નથી, તો તેઓ અંતકાળે આવશે ત્યારે ઓળખીશું કેવી રીતે ?’
સ્વામીશ્રી કહે : ‘જ્ઞાન થશે એટલે ઓળખાશે. તેઓ ગમે તે સ્વરૂપે હશે પણ જે જ્ઞાની હશે, નિષ્ઠાવાળા હશે તેને તરત ઓળખાશે.’
ત્યારપછીના એક પ્રશ્નના ઉત્તરમાં સ્વામીશ્રીએ ‘સત્સંગ શિક્ષણ પરીક્ષા’નો ખૂબ મહિમા કહ્યો. તે સાંભળીને પુરાણીએ કહ્યું : ‘આવી રીતે સ્વામીશ્રીએ જણાવ્યું તે સાંભળીને બધાએ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાનો સંકલ્પ કર્યો.’
સ્વામીશ્રીએ તરત જ મોઢું નકારમાં હલાવ્યું. આ જોઈને બધાએ આંગળી ઊંચી કરી પરીક્ષા આપવાની તૈયારી બતાવી.
સ્વામીશ્રીએ પૂછ્યું : ‘તૈયારી કરીને આપશો ?’
બધાએ સમૂહમાં મોટે અવાજે હા કહી. સૌને ‘સત્સંગ શિક્ષણ પરીક્ષા’ આપવાની પ્રેરણા આપવાની સ્વામીશ્રીની આ રીત અદ્ભુત હતી.
પછીના પ્રશ્નમાં એક લઘુસંવાદ રજૂ થયો. એક કાર્યકર કહે કે ‘આજથી આરતી, વચનામૃત, સ્વામીની વાતો બંધ.’ સામેના કાર્યકરે પૂછ્યું : ‘કેમ ?’ તો આ કાર્યકર કહે : ‘શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું છે, તો બંધ જ કરી દઈએ ને ?’
સ્વામીશ્રીને કહેવામાં આવ્યું કે ‘સ્વામી ! આવો પ્રશ્ન ઘણા બધાને છે. એક તો સમજણ પડતી નથી અને સાથે આ બધું કરતાં સ્મૃતિ પણ રહેતી નથી. તો શું કરવું ?’
સ્વામીશ્રી ઉત્તર આપતાં કહે : “યોગીબાપાને એક જણે કહ્યું કે ‘મન કાબૂમાં રહે તો એકાદશી સાચી - એવું શ્રીજીમહારાજે કહ્યું છે, પણ મન તો કાબૂમાં રહેતું નથી અને ઢોર-લાંઘણ થાય છે.’ ઢોર-લાંઘણ એટલે ઇચ્છા હોય પણ મળતું ન હોય તે. તો તેણે કહ્યું - ‘એના કરતાં ખાઈ લઈએ તો ?’ તો યોગીબાપાએ કહ્યું - ‘ના. ખાવાનું જ નહીં. એકાદશી કરવાની જ. ભલે 100 ટકા ન મળે, 50, 20, 15 જે ટકા મળે તે.’ આવી રીતે બધામાં કરીએ. પ્રથમના 22મા વચનામૃત પ્રમાણે મન ન રહે તો પણ કરવું. આમ કરતાં કરતાં આગળ વધાશે. નહીં તો ઘટતાં ઘટતાં સાવ ઘટી જવાશે.”
Vachanamrut Gems
Gadhadã III-25:
The Only Desire to Retain in Spiritual Endeavours - 'May God Become Pleased with Me'
“ ‘Bhakti, upãsanã, service, shraddhã, firmness in observing dharma, and other spiritual endeavours related to God should all be performed without harbouring desires for any other fruits.’ This fact is mentioned in the sacred scriptures, and it is true; but one should certainly harbour the following desire: ‘May God become pleased with me through these endeavours.’ That desire should be kept. If, on the other hand, a person does not keep such a desire and acts without any specific objective, then he should be known to possess tamogun. Therefore, one should develop the virtues of bhakti, upãsanã, etc. with the desire for fruits in the form of the pleasure of God. If a person nourishes any desire other than that, he will attain only fruits such as the four types of liberation.”
[Gadhadã III-25]