પ્રેરણા પરિમલ
બૅલેન્સ રાખતાં શીખવું...
(તા. ૨૩-૦૬-૨૦૦૮, સારંગપુર)
સુરત છાત્રાલયમાં રહેતો એક વિદ્યાર્થી આજે સ્વામીશ્રીના દર્શનાર્થે આવ્યો. આ વિદ્યાર્થીએ પોતાની શિકાયત કરતાં કહ્યું કે 'મને વચનામૃત વાંચવાનું મન થાય છે, પણ ભણવાનાં પુસ્તકો વાંચવાનું મન થતું જ નથી.'
સ્વામીશ્રી તરત જ કહેઃ 'વચનામૃત પણ વાંચવાનું અને અભ્યાસનાં પુસ્તકો પણ વાંચવાનાં. અભ્યાસ કરીએ તો લાઇફ બને ને વચનામૃત વાંચીએ તો જ્ઞાન થાય. તો પછી સુખદુઃખમાં વાંધો ન આવે. બંને બૅલેન્સ રાખતાં શીખવું.'
Vachanamrut Gems
Gadhadã III-8:
Not controlling one's indriyas, the cause of misery
“A person who has not controlled his indriyas by vairãgya and swadharma remains miserable, despite staying in the company of God and His Bhakta.
[Gadhadã III-8]