પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની લાગણીસભર સમજાવટ
એક યુવકને અન્ય જ્ઞાતિની અને અન્ય ધર્મની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. એ હિન્દુ સિવાયની જ્ઞાતિની હોવાથી એમના રૂઢિચુસ્ત માતુશ્રીને સંકોચ હતો, કારણ કે તેઓનાં માતુશ્રીએ પોતાના ઘરની બહાર ક્યારેય પાણી પણ પીધું ન હતું. છોકરાને દુખવવામાં પણ તેઓ દુઃખી થતાં હતાં અને છોકરાના સંસ્કારો જતા જોઈને પણ તેઓ વિશેષ દુઃખી હતાં. છેવટે એમણે છોકરાને સ્વામીશ્રી પાસે મોકલ્યો અને કહ્યું કે 'બાપા જે આજ્ઞા કરે એ મને શિરોમાન્ય છે.'
સ્વામીશ્રીએ શાંતિથી એ યુવકના વિચારો સાંભળ્યા અને ત્યારપછી સ્વામીશ્રીએ એ યુવકને કહ્યું : 'જે માબાપે તને ઉછેરીને મોટો કર્યો છે એને દુઃખ થાય એ કેવું કહેવાય ?'
થોડીવાર થોભી એને લાગણીમાં તણાવા દઈને સ્વામીશ્રી કહે : 'માબાપનાં દુઃખ સામે જોવું. માતા પહેલાં છે અને એની સામે આપણે પહેલું જોવાનું છે. જિંદગીભર એમની સેવા કરવાની છે. માની લાગણીને ધક્કો મારે એ ખાનદાની ન કહેવાય. બીજી સારામાં સારી મળશે. આના ઉપર જ આપણે ક્યાં મેખ માર્યો છે ? તું એને પણ પ્રેમથી કહેજે કે 'મને બીજો કોઈ વાંધો નથી, પણ મારાં માતા દુખાય એ મને પાલવે નહીં. આ જ શબ્દ કહેજે કે મારાં માબાપ રાજી નથી અને હવેથી મનથી તું કાઢી નાખજે. તું એનાથી જ સુખી થઈશ એમ ન માનતો. ભગવાન બધી જ રીતે સાનુકૂળ કરી દેશે અને સુખી પણ કરશે. તું વિચાર કર - તારાં મધર બહારનું પાણી પણ પીતાં નથી તો આ છોકરી ઘરમાં આવે તો શું દશા થાય? એટલે તું સંબંધ છોડી જ દે. હું આશીર્વાદ આપું છુ કે તું સુખી થઈશ. ગોંડલ અક્ષરદેરીમાં પ્રાર્થના કરજે અને એમ પણ પ્રાર્થના કરજે કે એ છોકરી પણ સુખી થાય.'
આટલું કહ્યા પછી સ્વામીશ્રી કહે : 'મનમાં ઊતર્યું ને? પાછો ડિપ્રેશનમાં ન આવી જતો. હિંમત રાખજે. ભગવાનનું બળ રાખજે. માબાપનો ત્યાગ કઈ રીતે કરી શકીએ? ભલા માણસ!'
સ્વામીશ્રીના લાગણીસભર શબ્દો અને સમજાવટથી એ યુવક સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે કરવા માટે સંમત થયો.
આજની યુવા પેઢીને પશ્ચિમની હવા, માતા-પિતા ને પરિવારથી દૂર ખેંચી રહી છે ત્યારે સ્વામીશ્રી સાથે સ્નેહને તાંતણે બંધાયેલાં યુવાહૃદય સાબુત બચી જાય છે. કહોને કે સ્વામીશ્રી જ તેને બચાવી લે છે. (૧૫-૧૧-૨૦૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Gadhadã II-22:
The powers of an Ekãntik Sãdhu
“…just as the lords of countless millions of brahmãnds – Brahmã and other ishwars – bring countless types of gifts and other articles for God, they also bring them for that sãdhu. Moreover, by the grace of God, that sãdhu acquires transcendental powers and strength. Keeping such a lofty thought in one’s mind, one should not desire anything other than God…”
[Gadhadã II-22]