પ્રેરણા પરિમલ
આપણે તો અક્ષરધામના...
આજે સ્વામીશ્રી લંડનથી વિદાય લઈને ન્યૂયોર્ક જવાના હતા. ભોજન દરમ્યાન સામે બેઠેલા યુવા કાર્યકર નૈનેશ પટેલે સ્વામીશ્રીને કહ્યું: 'આંખ મીંચીને જાણે કે વીસ દિવસ પસાર થઈ ગયા એવું થઈ ગયું, ખબર પણ ના પડી - આવું ચાલે ! તમે તો ગુણાતીત સ્વરૂપ છો. ધારો એટલાં સ્વરૂપ કરી શકો. એક સ્વરૂપ અહીં મૂકતા જાવને! '
સ્વામીશ્રી સહજ અનાસક્તિના સૂર સાથે કહે : 'ભલા માણસ ! અમે તો જ્યાં જઈએ ત્યાં ઘર જ છે.' પછી એનું વિશેષ વિવરણ કરતાં કહે : 'અક્ષરધામ છે એ તો અધો-ઊર્ધ્વ પ્રમાણે રહિત છે, બરાબરને ! જ્યાં જુઓ ત્યાં અક્ષરધામ છે, તો પછી બીજી વાત જ ક્યાં આવે ? ઝૂંપડામાં જઈએ કે મહેલમાં જઈએ, ગમે ત્યાં જઈએ, બધાંમાં અક્ષરધામ છે, એટલે સંકુચિતતામાં શું કામ પડવું ?'
સ્વામીશ્રી જાણે પોતાના દિવ્યત્વની વાત કૃપાએ કરીને કહી રહ્યા હતા.
નૈનેશ કહે : 'બાપા! અક્ષરધામનો અનુભવ એક વખત તો કરાવો.'
સ્વામીશ્રી કહે : 'અનુભવ કરવાની વાત ક્યાં રહી! પોતાને અક્ષરરૂપ મનાય એટલે ધામમાં જ બેઠા છીએ. પછી ક્યાંય આડુંઅવળું જોવાનું કે બીજો કોઈ સંકલ્પ ન રહે.'
સ્વામીશ્રી જાણે અત્યારે વિદાયની છેલ્લી શીખ રૂપે નખશિખ આધ્યાત્મિકતાની પાત્રતા લાવવા માટેની વાતો કરી રહ્યા હતા.
નૈનેશ કહે : 'અર્જુનને જેમ વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે એણે કહ્યું કે આપનાં જેવાં છે એવાં દર્શન મને કરાવો, વિરાટ સ્વરૂપ જોવાની મારી તાકાત નથી. એમ અમારી પણ તાકાત નથી.'
સ્વામીશ્રી કહે : 'એમાં જ સુખ આવે. જો ઝળહળાટ બતાવીએ તો ઝળહળાટમાં તો પડે ગુલાંટ ખાઈને, અર્જુન જેમ થથરી ગયા એમ થાય. એટલે જ શ્રીજીમહારાજ મનુષ્યરૂપે આવે ત્યારે સુખ આવે છે. આપણી સાથે બેસે, ઊઠે, બોલે, ચાલે. યોગીજી મહારાજ એ રીતે કરતા તો આપણને સુખ આવતું. આપણા જેવા થઈને રહે તો આપણને સુવાણ થાય, બાકી પાંચ હજાર વૉટનો પાવર (પ્રકાશ) નીકળતો હોય તો શું સુખ આવે ? સામું જોવાય જ નહીં, તો પાસે જવાય જ કેમ ?! જેમ નરસિંહઅવતાર ધર્યો તો પ્રહ્લાદ સિવાય કોણ એની પાસે જઈ શક્યું? એમ, ભગવાન અને સંત આપણા જેવા થાય છે ત્યારે જ આપણને સુખ આવે છે.'
સ્વામીશ્રી આ સત્સંગમાં એવા તો મશગૂલ થઈ ગયા હતા કે પોતે શું ખાઈ રહ્યા હતા એનો એમને ખ્યાલ ન રહ્યો. ભગવદ્-કથાવાર્તામાં સ્વામીશ્રીની આ આસક્તિ સૌને સ્પર્શી ગઈ. (તા. ૧૪-૫-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-6.8,9:
What Type of Company Would Make one Perceive Faults
Again Shriji Mahãrãj asked, "Despite the fact that he observes dharma, sitting with and listening to which type of satsangi or paramhansa would make one subject to developing faults?"
Shriji Mahãrãj replied, "If a person has faith in God and observes dharma, but also believes his self to be the body and has egotism as well as desires for worldly activities, then if God and His Sant denounce these, he will definitely perceive flaws in God and His Sant. Then, he will talk about the perceived flaws of God and His Sant to others and cause them to become like non-believers. One should not associate with such a person in any way; doing so is harmful."
[Loyã-6.8,9]