પ્રેરણા પરિમલ
તમે બહુ ભાગ્યશાળી છો...
સ્વામીશ્રીની પૂજામાં આજે શ્રીજીમહારાજનાં ચરણારવિંદ પધરાવવામાં આવ્યાં હતાં. સ્વામીશ્રીને જિજ્ઞાસા હતી કે આ પ્રસાદીનાં ચરણારવિંદ કોણ લાવ્યું છે ? પૂજા પછી તરત જ ચરણારવિંદ લાવનાર ચિરાગભાઈને સ્વામીશ્રીએ બોલાવ્યા. અને પૂછ્યું કે : 'આ ચરણારવિંદ તમને ક્યાંથી મળ્યાં ?'
તેઓ કહે : 'અમારું મૂળ ગામ વહેલાલ અને જેસંગભાઈના અમે વંશજો છીએ.'
સ્વામીશ્રીએ પૂછ્યું : 'તમને તમારા વડવાઓનાં નામ યાદ છે ?'
તેઓ કહે : 'મને નહીં, પણ મારા પિતાશ્રીને યાદ છે.'
સ્વામીશ્રી કહે : 'બોલાવો એમને.'
તેઓના પિતાશ્રી વિનુભાઈ સભામંડપમાં છેક પાછળ બેઠા હતા. તેમને આવતાં ઓછામાં ઓછી પાંચ મિનિટ જેટલો સમય તેઓને લાગ્યો. પરંતુ સ્વામીશ્રી તેઓની રાહ જોતા બેઠા રહ્યા. તેઓ આવ્યા એટલે સ્વામીશ્રીએ પૂછ્યું : 'તમને તમારા વડવાઓનાં નામ યાદ છે ?'
તેઓએ ગણતરી કરાવી કે 'મારું નામ વિનુભાઈ. મારા પિતાશ્રીનું નામ નાથાભાઈ, એમના પિતાશ્રી ગોવિંદભાઈ, એમના પિતાશ્રી વસ્તાભાઈ અને એમના પિતાશ્રી જેસંગભાઈ.'
સ્વામીશ્રી કહે : 'ઓ...હો... છઠ્ઠી પેઢીએ તમે તો મહારાજનાં દર્શન કરેલાં. બહુ ભાગ્યશાળી છો. આ ચરણારવિંદ તમને મળ્યા અને આનંદ તો એ છે કે આ ચરણારવિંદ સાચવીને તમે ઠેઠ અહીં અમેરિકા સુધી લઈ આવ્યા !'
પોતાનાં ઇષ્ટદેવ શ્રીહરિના સંબંધવાળાની છઠ્ઠી પેઢીનો મહિમા સ્વામીશ્રીની આંખોમાં છલકાતો હતો. ચરણારવિંદનાં દર્શન કરીને સ્વામીશ્રી ખરેખર ખૂબ જ રાજી થયા. તેઓને આશીર્વાદ આપ્યા.
(૧૫-૬-૨૦૦૪, એટલાન્ટા)
Vachanamrut Gems
Loyã-13.4:
How Can an Ordinary Person not be Overcome by Adverse Times?
"A person who has withdrawn his nãdis and prãns, and by way of his nirvikalp state remains at the holy feet of God, would not be overcome by adverse places, times, company, etc., even if he was an insignificant being…"
[Loyã-13.4]