પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
એક હરિભક્તના દેશકાળ બહુ ખરાબ થઈ ગયા હતા. તેઓ આર્થિક સંકડામણથી હારી જઈને આપઘાત કરવાનો વિચાર કરતા હતા. સ્વામીશ્રીએ પ્રેમથી એમને કહ્યું : ‘આપઘાત તો ક્યારેય ન કરવો. મરી ગયા પછી શું ? જીવતો નર સો ભદ્રા પામે. જીવતા છીએ તો બધું સારું થશે.’
પેલા હરિભક્ત કહે : ‘પણ બધી રીતે મુશ્કેલીઓમાં એવો ઘેરાઈ ગયો છું કે ધર્માદાના પૈસા પણ આપી શકતો નથી.’
સ્વામીશ્રી કહે : ‘તમારી ભાવના સારી છે, પણ દેશકાળ સારા ન હોય તો એવો આગ્રહ ન રાખવો કે ધર્માદાના પૈસા આપવા. સેવા ઘણી રીતે થાય છે. અત્યારે દેહે કરીને પણ થશે. માટે એ કરજો અને મનમાં ઓછું લાવતા નહીં.’
Vachanamrut Gems
Loyã-13.4:
Stability by Remaining at the Holy Feet of God
"… Therefore, God alone is not overcome by those influences. While all others, however great they may be, if they are not engrossed in the holy feet of God, would be overcome; those who do remain engrossed are not overcome. This is a universal principle that I have firmly established within Myself."
[Loyã-13.4]