પ્રેરણા પરિમલ
સુંદરણા ગામના બાળમંડળ
રાજેશભાઈ ઠાકોર જ્યાં બાળમંડળ ચલાવી રહ્યા છે, એ સુંદરણા ગામના બાળમંડળના સભ્યોને પંચનિયમની પુસ્તિકા તેઓએ આપી. આ બાળકોને આ પુસ્તિકા મુખપાઠ કરવાનું તેઓએ સોંપ્યું હતું. બાળકો પણ એવા શિસ્તબદ્ધ એટલે નિશાળે પોતાની સાથે આ પુસ્તિકા લઈ જતા હતા ને રિસેશના સમયે બીજા છોકરાઓ રમતો રમે ત્યારે શાંતિથી ક્યાંક બેસીને આ બાળકો પંચનિયમ પુસ્તિકાનો મુખપાઠ કરતા હતા. ધોરણ સાતના એક ખ્રિસ્તી શિક્ષકના ધ્યાનમાં આ આવ્યું. કુતૂહલવશ થઈને તેઓ બાળકો પાસે ગયા ને બાળકોને પૂછપરછ કરી ત્યારે બાળકોએ કહ્યું કે અમે પ્રમુખસ્વામી મહારાજના શિષ્યો છીએ ને આ પંચનિમયમની પુસ્તિકાનો મુખપાઠ કરીએ છીએ. ખ્રિસ્તી શિક્ષકને વધારે કુતૂહલ થતાં બાળકોએ બાળસભા કઈ રીતે ચાલે છે ? એ બધી જ વિગતો તેઓને કરી. બાળસભાની આ સંસ્કારસિંચનની પ્રવૃત્તિથી તેઓ એટલા પ્રભાવિત થયા કે એમણે પોતાના વર્ગમાં પણ કહ્યું કે જેને આગળ વધવું હોય એણે અક્ષરપુરુષોત્તમ સંસ્થા સંચાલિત બાળમંડળમાં નિયમિત જવું. આ શિક્ષકે સંચાલક રાજેશભાઈ ઉપર પણ ધન્યવાદનો પત્ર લખી આપીને પરમ પૂજ્ય સ્વામીશ્રીની મૂર્તિ પણ મગાવી.
Vachanamrut Gems
Gadhadã II-1:
Attributes of One Free form Infatuation
"When attachment to the vishays is eradicated, a person no longer makes distinctions between pleasant and unpleasant vishays - an ugly woman appears the same as a beautiful woman. In the same manner, he sees everything - animals, wood, dung, stones and gold - to be the same; he is not infatuated on seeing a pleasant object. This is how he views the panchvishays; no distinctions between pleasantness and unpleasantness remain in his mind. One who behaves like this is known to be free of infatuation…"
[Gadhadã II-1]