પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-1-2010, મધુભાન રિસોર્ટ
સ્વામીશ્રી ને સંતોની વ્યવસ્થા માટે પ્રયાસવીનભાઈએ નિરંજનભાઈ મહારાણા નામની એક વ્યક્તિને નિયુક્ત કર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના નામથી પણ તેઓ ભડકતા હતા, પરંતુ સ્વામીશ્રીની સાધુતા અને દિવ્યતાનો જાદુ તેમને અસર કરી ગયો, કારણ કે નામથી દૂર ભાગનારા નિરંજન મહારાણા અત્યારે સ્વામીશ્રીની આજુબાજુ જ ભમી રહ્યા હતા. શરૂઆતમાં જે અણગમો હતો એ પણ ઓગળી ગયો હતો. સવારે વહેલા આવીને મોડી રાત સુધી તેઓ ખડે પગે રહેતા હતા, એને કારણે એમનાં પત્ની કહે : ‘તમે સાધુ તો નથી થઈ જવાના ને ?’
ત્યારે હસતાં હસતાં મોડી રાત્રે ગયેલા તેઓ રમૂજમાં કહે : ‘કદાચ એવું પણ બને. એટલે બિહારમાં રહેતા તારા પિતાજીને ફોન કરી દેજે.’
અને પત્નીએ સાચેસાચ પોતાના પિતાને ફોન કર્યો ને એની થોડી ઘણી શીઘ્ર પ્રતિક્રિયાઓ પણ થવા લાગી, ત્યારે મહારાણાએ પોતાનાં ધર્મપત્નીને કહ્યું : ‘તું પણ એક વખત પ્રમુખસ્વામી મહારાજની પૂજામાં દર્શને આવ.’ અને એક દિવસ તેઓ પણ પૂજામાં આવ્યાં અને જાણે કે તેઓને પણ પારસ સ્પર્શી ગયો.
‘એક ઘડી આધી ઘડી...’ની વિભાવના અહીં સત્ય ઠરતી હોય એવું અનુભવાતું હતું.
Vachanamrut Gems
Loyã-4:
Worshipping God with a Cheerful Mind
"… Therefore, a devotee of God should remain ever joyful and should worship God with a cheerful mind. Moreover, however adverse his circumstances may be, he should not allow even the slightest trace of depression to enter his heart."
[Loyã-4]