પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-1-2010, વિદ્યાનગર
સ્વામીશ્રી બહારગામથી વિચરણ કરીને પધાર્યા હતા. અંદરની રૂમમાં ઈ.ઈ.સી.પી. ટ્રીટમેન્ટ માટેની પૂર્વતૈયારી થઈ ચૂકી હતી. સ્વામીશ્રી ગુજરાતમાં હોય ત્યારે આ ટ્રીટમેન્ટ માટે ડૉ. બાજડિયા તથા ડૉ. અમૃતભાઈ અમદાવાદથી આવતા હોય છે. આજે પણ તેઓને અહીં આવેલા જોઈને સ્વામીશ્રીએ તરત જ પૂછ્યું : ‘આ બધાને નાસ્તો કરાવ્યો કે નહીં ?’
વેદપુરુષ સ્વામી કહે : ‘હા, થઈ ગયો છે.’
‘નડિયાદથી અમે આવ્યા ત્યારે અમારી સાથે જે પોલીસો (એસ્કોર્ટ માટે) આવ્યા છે એમને પણ નાસ્તો કરાવી દેજો.’ આટલી સૂચના વેદપુરુષ સ્વામીને આપીને સ્વામીશ્રી ટ્રીટમેન્ટ માટે રૂમમાં પધાર્યા.
સૌ જ્યારે સ્વામીશ્રીની ટ્રીટમેન્ટની ચિંતા કરતા હોય છે ત્યારે સ્વામીશ્રી સૌની ચિંતા કરતા રહે છે.
Vachanamrut Gems
Loyã-14:
Not Trusting the Mind
"… 'Even an accomplished yogi should never trust his mind - even though he may appear to have conquered it.' …"
[Loyã-14]