પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે રવિસભા હતી. કિશોરોએ ‘તમારા સ્નેહલ સથવારે’ એ મધ્યવર્તી વિચાર સાથે સ્વામીશ્રીની સંનિધિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વામીશ્રીએ ગાંઠે બાંધવા જેવી સુંદર વાત કરતાં કહ્યું : ‘ભગવાન પર વિશ્વાસ રાખીને ભગવાનનું ભજન કરીએ છીએ તો બધી રીતે સારું થાય છે. ભગવાનની ભક્તિ, સત્સંગ, કથાવાર્તાના આધ્યાત્મિક શબ્દો પડે તો જે ભ્રમણા થઈ હોય, વિચારવાયુ ચડ્યા હોય એ બધા દૂર થઈ જાય. ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જીવન જીવીએ તો સારું જ થાય છે.’
Vachanamrut Gems
Loyã-7:
What is Perfect Gnan?
"… Moreover, God dwells within them all as their antaryãmi and as their cause. It is that very God who is this manifest form. To know and see God with such an understanding of greatness is called perfect gnãn."
[Loyã-7]