પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-1-2010, નડિયાદ
નવા વર્ષના પ્રારંભની પ્રથમ ક્ષણ ગુણાતીત પુરુષનાં દર્શનથી ઊગી, કારણ કે ગઈ કાલે મોડી રાત્રે ચંદ્રગ્રહણ હતું અને આ ચંદ્રગ્રહણ રાત્રિના અંધકારમાં પણ ગુણાતીત સૂર્ય સમા સ્વામીશ્રીનાં દર્શનનાં સૌભાગ્યને લઈને આવ્યું હતું. આ પણ એક વિરલ અને અનોખી સ્મૃતિ હતી. ગઈકાલના આવા ઉજાગરા પછી લગભગ રાત્રે 2:45 વાગ્યા પછી સ્વામીશ્રી આરામમાં પધાર્યા હોઈ સવારે નિરાંતે ઊઠવાનું હતું. આમ પણ ગઈકાલે જૂના વિચરણને યાદ કરાવે એવો ભીડો પડ્યો હતો. છતાં રોજ કરતાં બહુ મોડા નહીં એવી જ રીતે લગભગ 8:15 વાગે તો સ્વામીશ્રી જાગી ગયા અને સ્નાનાદિક વિધિથી પરવારીને 9:00 વાગે ઠાકોરજીનાં દર્શને આવી પહોંચ્યા.
સમૈયાનો લાભ લેવા આવનારા સંતો ઘુમ્મટમાં બેઠા હતા. સમૂહમાં બેઠેલા સૌ ‘જે દુઃખ થાય તે થાજો રે’ એ કીર્તન ગાઈ રહ્યા હતા. દર્શન કરીને વ્હીલચૅરમાં બેસતાં બેસતાં સૌ તરફ અમીદૃષ્ટિ કરીને મંદ હાસ્ય સાથે સ્વામીશ્રી કહે : “જે દુઃખ થાય તે થાજો’ એ ગાઈએ છીએ એના કરતાં છાનામાના બેસીને ભજન કરવું. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જેવું સહન કરેલું છે એવું આપણાથી થાય એવું નથી. આ તો જરાક મનનું મરડાયું એટલે થઈ રહ્યું, મૂકો પડતા - એવું થઈ જાય.”
સંતો બોલ્યા : ‘ઊંચે બાંધી, નીચે અગ્નિ પ્રગટાવે.’ આ કડી સાંભળતાં જ સ્વામીશ્રી પણ પાછળ ડોકું નમાવીને ઊંચું જોવા લાગ્યા અને ઊંચું જોઈને કહે : ‘આ બધું અત્યારે નથી. એમના વખતમાં થઈ ગયું. એ બધાએ સહન કર્યું. એમને તો બધું જ થયું. માન-અપમાન બધું જ થયું. માર પણ એમણે ખાધો છે. અત્યારે તો સહેજ થાય તોય પડતું મૂકે. જીવમાં દૃઢતા રાખવાની. કથાવાર્તા, ભજન-કીર્તન કરીએ છીએ, પણ સમય આવે ઓસાન ન ભૂલવું.’
આ રીતે સવારનો પ્રથમ દિવસનો પ્રથમ અમૃતપાઠ સહનશક્તિનો આપ્યો.
Vachanamrut Gems
Loyã-8:
Means to Overcome one's Addictions
Again Shriji Mahãrãj asked, "People become addicted to many different types of things, for example, bhang, marijuana, opium, alcohol, etc. Are these addictions due to one's kriyamãn or prãrabdha karmas?"
Replying, Shriji Mahãrãj said, "These addictions are developed not by prãrabdha, but by habit. Therefore, if one maintains courage, keeps shraddhã, and becomes adamant on overcoming the addiction, then it can be overcome. But if one has no shraddhã and is cowardly, then that vice cannot be overcome."
[Loyã-8]