પ્રેરણા પરિમલ
સમદ્રષ્ટા
તા. ૨૭-૬-૨૦૦૫, રાજકોટ
જમ્યા પછી ૧૦૦ જેટલા હરિભક્તોને મળીને સમદ્રષ્ટા સ્વામીશ્રી અહીં વરસોથી સેવા કરતા મંદબુદ્ધિના ભરતને મળ્યા. પૂર્વ જનમનું મંદિરનું લેણું ચૂકવવા માટે જ જન્મ થયો હોય એવા મમત્વથી બુદ્ધિને મંદિરના કાર્યમાં તાળું મારીને ભરત સેવા કરી રહ્યો છે. સ્વામીશ્રીએ પ્રેમથી એની સાથે દશ મિનિટ ગાળી. ભરતને કહે, 'ભરત ! શું કામ કરે છે ?'
ભરત કહે : 'સવારે હરિભક્તોની રોટલી ચોપડું છું. હરિભક્તોને જમાડું છું. હરિભક્તોનાં વાસણ ધોઉં છું. મંદિરની સાફસફાઈ કરું છું.' એણે તો લાંબું લિસ્ટ ધરી દીધું. કોઈએ વળી કહ્યું કે 'આટલી સેવા તો કરે જ છે, પણ ક્યારેક ગાળ પણ બોલી જાય છે.'
સ્વામીશ્રીએ તરત જ ભરતને કહ્યું : 'ગાળ બોલવાની બંધ કર. હરિભક્તો આવે ને અમને કહી જાય કે મંદિરમાં આવો માણસ રાખો છો ? એવું કોઈ કહી ન જાય એટલે હવેથી ગાળ ન બોલતો.'
કોઈએ વળી પૂછ્યું, 'ભરત ! લગન કરવાં છે ?'
'લગન તો નથી જ કરવાં.'
'કેમ ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'પસ્તાવું પડે.' ભરતના આવા જવાબથી સ્વામીશ્રી ખડખડાટ હસી પડ્યા ને કહે : 'આ પણ સમજે છે.' જો કે વાતનો દોર આગળ વધારતાં સ્વામીશ્રીએ પૂછ્યું, 'આટલા બધા હરિભક્તો લગન કરે છે એ બધા ક્યાં પસ્તાય છે ?'
સ્વામીશ્રીની આવી દલીલથી ભરતના અંતરની વાત બહાર આવી ગઈ.
ભરત કહે : 'એ વાત તમારી સાચી, પણ આપણને ગમે એવું જોવું તો પડે ને !'
આ સાંભળીને સ્વામીશ્રી વળી જોરથી હસી પડ્યા અને સાંખ્ય કરાવતાં કહે : 'ભરત ! આપણે કાંઈ જોવું કરવું નથી. અહીં સેવા કરે છે એ જ બરાબર છે.'
Vachanamrut Gems
Gadhadã II-2:
Overcoming Lust, Anger, etc...
"… Similarly, through the bliss of one's ãtmã, one should remain fulfilled within. Externally, one should obstruct the 'inflow' of the vishays through the indriyas. This is the only definite method for overcoming lust, anger, etc. Except for this, though, they cannot be overcome by fasting alone. So please imbibe this thought firmly in your lives."
[Gadhadã II-2]