પ્રેરણા પરિમલ
'વ્યસન કાઢજે તો સુખી થઈશ.'
તા. ૨૫-૬-૨૦૦૫, રાજકોટ
બપોરે ભોજન પછીની કેટલીક મુલાકાતો દરમ્યાન એક હતાશ યુવક સ્વામીશ્રી પાસે આવ્યો. સ્વામીશ્રી સમક્ષ કહે : 'કાનમાં સિસોટી વાગ્યા કરે છે. મારા મગજમાં ચાલતાં વિચારો કાન દ્વારા કોઈ શક્તિ જાણી જાય છે અને એ વિચારો ખેંચી લે છે. એને લીધે આ અવાજ મને આવ્યા કરે છે.'
સ્વામીશ્રી એની માનસિક પરિસ્થિતિ જાણી ગયા. એટલે તરત જ સ્વામીશ્રી પોતાનો કાન બતાવતાં કહે : 'મનેય આવો અવાજ આવે છે. અવાજ તો કોઈ રોગ હોય તો આવે. કાનની ખામી છે. બાકી કોઈ કશોય અવાજ પકડતો નથી. એ બધા વહેમમાં પડતો નહીં ને 'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...' ભજન કરજે.'
બાજુમાં ઊભેલા એના મિત્રે કહ્યું : 'એને વ્યસન પણ છે.'
'મઈ વ્યસનો પેઠા છે એનો આ અવાજ આવે છે. માટે એ કાઢજે તો સુખી થઈશ.'
Vachanamrut Gems
Loyã-9:
The Need of a Satpurush To Attain Gnan
"Gnãn arises if one listens to the Upanishads such as the Bruhadãranya Upanishad, Chhãndogya Upanishad, Kathavalli Upanishad, etc.; the Bhagwad Gitã; the Vãsudev Mãhãtmya; the Vyãs Sutra and other scriptures from a Satpurush."
[Loyã-9]