પ્રેરણા પરિમલ
વનસ્પતિ પ્રેમ અને જીવદયા
બોચાસણમાં તા. ૨૯-૭-૧૯૮૬ના સવારે પ્રમુખસ્વામી મહારાજ ગૌશાળામાં વૃક્ષારોપણ કરવા પધાર્યા. સંતોએ છોડને અનુરૂપ ખાડા ખોદાવી રાખ્યા હતા. સ્વામીશ્રી કહે, 'વનસ્પતિમાં પણ ભગવાનનો વાસ હોય છે, માટે કંકુ-પુષ્પ લાવો' ત્યારબાદ વૈદિકમંત્રોચ્ચાર કરાવ્યા.
છોડ રોપવાના એક ખાડામાં એક મંકોડો ફરતો હતો. ખાડા આગળ જ સ્વામીશ્રી પલાંઠી વાળીને બેઠા હતા. મંકોડાને જોઈને સ્વામીશ્રી કહે, 'મંકોડાભાઈ ! બહાર નીકળો, નહિ તો પાછા સલવાઈ જશો !' એમ કહીને જાતે જ મંકોડાને ધીમેથી પકડીને બહાર મૂકી દીધો. સ્વામીશ્રીના હૃદયમાં માનવતાની સાથે વનસ્પતિ પ્રેમ અને જીવદયા પણ ધબકતાં જ રહે છે.
Vachanamrut Gems
Gadhadã II-14.5:
Without the Conviction of God
“However, those who follow the path of nivrutti but do not have the conviction of God should be known to be sagun due to their mãyik gunas. Furthermore, one should realise, ‘This person appears to be a staunch renunciant, but because he does not have the conviction of God, he is ignorant and will definitely go to narak.’ ”
[Gadhadã II-14.5]