પ્રેરણા પરિમલ
વર્તન દ્વારા પ્રેરણા
૧૯૮૭ના વર્ષમાં ગુજરાતમાં દુષ્કાળ હતો, ત્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પશુઓ માટે ચાર કેટલકૅમ્પ ખોલવામાં આવ્યા હતા. અનેક મહાનુભાવો, દાતાઓને આ કેટલકૅમ્પનું આયોજન ગમી ગયું હતું.
મુંબઈમાં એક સજ્જનને આ વાતની ખબર પડી. તેઓ દાનવીર હતા. તેમને પ્રમુખસ્વામી મહારાજ તથા સંસ્થાના કાર્યમાં વિશ્વાસ હતો. પોતાનું નાણું આ સંસ્થાને આપીશું તો ગેરવલ્લે નહીં જ જાય. એવા વિશ્વાસ સાથે તેઓ સ્વામીશ્રી પાસે આવ્યા અને કહ્યું : 'મારે આપની સંસ્થા દ્વારા ચાલતા કેટલકૅમ્પમાં એક લાખ રૂપિયા આપવા છે.'
સ્વામીશ્રીએ કહ્યું : 'આ રકમ અમરેલી, ગઢડા, બોટાદ વગેરે ગામોમાં અન્ય સંસ્થાઓ દ્વારા કેટલકૅમ્પ ચાલે છે, તેમાં આપો.' પેલા ભાઈએ કહ્યું : 'ના, સ્વામીજી ! રૂપિયા તો આપના કેટલકૅમ્પમાં જ આપવા છે. તેમાં મને વિશ્વાસ છે. બીજે આ રકમનું શું થશે એ કોને ખબર ?' પણ સ્વામીશ્રીએ તો આ દ્રવ્ય આગ્રહપૂર્વક અન્ય પાંજરાપોળને મોકલાવ્યું. પોતાની જ સંસ્થામાં દ્રવ્ય ભેગું થાય અને અન્ય પાંજરાપોળમાં પશુઓ ભૂખે મરે એ કેમ ચાલે ? સ્વામીશ્રી માત્ર વાણીથી જ નહીં, પણ વર્તનથી ને વ્યવહારથીયે ઘણી પ્રેરણા આપી જાય છે.
Vachanamrut Gems
Gadhadã II-13:
The Means to Overcoming One's Weaknesses
“… When you thoroughly realise God as such, you will encounter no obstacles on the path to liberation. Without such firm understanding of the nature of God, though, one will never be able to overcome one’s weaknesses, regardless of the amount of renunciation one maintains or the number of fasts one performs.”
[Gadhadã II-13]