પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૮૦
ગોંડલ, તા. ૨૮-૧૦-૧૯૬૯
બપોરે યોગીજી મહારાજ જમી રહ્યા હતા. યોગેશ્વર સ્વામીએ સ્વામીશ્રીના પત્તરમાં ભાત પીરસ્યો અને કહે, 'આ પુરુષોત્તમપરાના ચોખા છે, તુળશીભાઈ લાવ્યા છે. પંખાળીના ચોખા ગૂણ ભરીને લાવ્યા છે.' એમના કહી રહ્યા પછી સ્વામીશ્રી ધીરેથી કહે, 'ભગવાન ભજે તો બધું જ મળી રહે... ભજન કરે તો એની મેળેõ ઢગલા થાય. ભજન કરવું જોઈએ.'
બપોરે ચાર વાગ્યે સ્વામીશ્રી સભામાં પધાર્યા. સંત પાસે કીર્તન ગવરાવતા હતા. 'સંત વિના રે સાચી કોણ કહે' એ કીર્તન સંતો ગાતા હતા. તેમાં પંક્તિ આવી 'સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ.' સંતોને અટકાવતાં સ્વામીશ્રી કહે, 'સંત કટુ વચન કહે તો કોઈ ઊભો રહે ? તો રંગ પણ ન લાગે. રંગ ક્યારે આવે ? સંતનું વચન મનાય તો.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-1:
Peace and Happiness in Samadhi
“… A person who does not have the virtues of ãtmã-realisation and vairãgya, even though he has attained nirvikalp samãdhi, experiences happiness and peace only while he remains in samãdhi. But when he comes out of samãdhi, then, like Nãrãyandãs, on seeing pleasurable objects, he becomes attracted to them.”
[Gadhadã III-1]