પ્રેરણા પરિમલ
માવજત
(પ્રેસ્ટન : તા. ૨૨-૬-૨૦૦૦)
આજે વિદાયનો દિવસ હતો. સવારે અલ્પાહાર બાદ સ્વામીશ્રી ઓશિકા પર કોણી ટેકવી, હથેળીના ટેકે મુખારવિંદ રાખી બેઠા હતા. ત્યાં જ એક હરિભક્ત કહે : 'બાપા ! અહીં રહી જાઓ ને !'
સ્વામીશ્રી હળવો લહેકો કરતાં કહે : 'એ...મ ! સારું ત્યારે.'
હરિભક્ત કહે : 'જો બાપા, તમે અહીં રહો તો હું નોકરી છોડી દઉં ને સત્સંગ કરું.'
સ્વામીશ્રી આ સાંભળી કહે : 'પછી મારે ચિંતા કરવી પડે. માળા ફેરવવાને બદલે અમારે વ્યવહાર કરવાનો થાય. માટે કામ ને ભજન બેય કરવું. નોકરી કે જે હોય તે વ્યવસ્થિત કરવું ને નવરા થઈએ એટલે ભજન, ભક્તિ, કથાવાર્તા કરવા મંડી પડવું. પણ નવરા ન બેસી રહેવું. જોઈએ તેટલું કમાઈ લેવું પણ લાંબી ફાળ ન ભરવી. જરૂર કરતાં વધુ કરવામાં સમય જાય ને ભગવાન ભજવાના રહી જાય.'
વ્યવહાર અને સત્સંગ - બંનેની માવજત કરતું માર્ગદર્શન ગમ્મતની વાતોમાં પણ સ્વામીશ્રી આપી દે છે !
Vachanamrut Gems
Loyã-10:
Ideal Contemplation on Paramatma
"Also, he contemplates upon Paramãtmã, who transcends the ãtmã, as follows: 'I have attained this gnãn of the pure ãtmã, which transcends mãyã, by the grace of the Sant. That Sant is a devotee of God. Moreover, that God is the ãtmã of even Brahma, who is the ãtmã of all. He is the ãtmã of Akshar and is also the ãtmã of the countless millions of muktas. I am the brahmarup servant of that Parabrahma Purushottam Nãrãyan.' "
[Loyã-10]