પ્રેરણા પરિમલ
આ આપણી સંસ્કૃતિ જ નથી.
સાંજે પરવાર્યા પછી મુમુક્ષુઓને વારાફરતી મળતા હતા. મુલાકાત દરમ્યાન એક મુમુક્ષુએ કહ્યું : 'મારી ઉંમર ૫૮ વર્ષની થઈ છે. ગયા વખતે આપ જ્યારે ન્યૂજર્સી આવ્યા હતા ત્યારે હું આપનાં દર્શને આવ્યો હતો. મારે પુત્ર થાય તે માટે મેં આપને પ્રાર્થના કરી હતી. અને તે વખતે આપે મને પ્રસાદીનું જળ આપ્યું હતું. હું અને મારાં પત્ની એ જળ નિયમિત લઈને પ્રાર્થના કરતા હતાં. આજે અમારે ત્યાં એક વર્ષનો પુત્ર પણ છે. આપની દયાથી, આપના આશીર્વાદથી અમારે ત્યાં સંતાન થયું છે.'
સ્વામીશ્રી કહે : 'ભગવાનની કૃપાથી જ આ બધું થાય છે.' એમ કહી સ્વામીશ્રીએ તેઓના જીવન અંગે પૃચ્છા કરી. તેમાં જાણવા મળ્યું કે તેઓ ક્યારેક ક્યારેક દારૂ અને માંસ લે છે. આ સાંભળી સ્વામીશ્રીએ તેમને જીવનશુદ્ધિના પાઠ આપતાં કહ્યું: 'તમે ધંધો કરો, બધું કરો પણ દારૂ અને માંસ બેય મૂકી દો. આ આપણી સંસ્કૃતિ જ નથી. આ બધું કરવામાં નુકસાન જ છે. માટે એ બધું છોડવાનો પ્રયત્ન કરજો. ભગવાન દયા કરશે. ખોટનો ધંધો હોય તો તમે મૂકી દો છો કે નહીં ? એને વળગી નથી રહેતા. એમ આ બધો ખોટનો જ ધંધો છે. આપણી ભાષા, આપણા સંસ્કાર એને ખોઈને આ કશું જ કરવાની જરૂર નથી. અહીં તો સિગારેટ માટે કેટલું કડક કર્યું છે ? ટેક્સ પણ કેટલો નાખ્યો છે ? કારણ કે જાણે છે કે એનાથી નુકસાન છે. લોકો ન પીવે એના માટે આવા કડક કાયદા તેઓએ કર્યા છે, પણ કાયદાથી કશું જ નહીં થાય. ઊલટું, સિગારેટ કંપનીઓના શેર ડબલ થઈ ગયા! પણ એનો ઉપાય એ જ છે કે આપણે ન પીવી. ભારતીય રીતે આપણું જીવન રહે એના માટે ખાસ ખટકો રાખજો.'
તે મુમુક્ષુએ સ્વામીશ્રીની આજ્ઞા શિરોમાન્ય કરી. ગદ્ગદભાવે પ્રાર્થના કરી સ્વામીશ્રી પાસે તેમણે વર્તમાન લીધાં. સ્વામીશ્રીએ કંઠી બાંધી તેઓને શ્રીજીમહારાજનો આશરો કરાવ્યો. આશીર્વાદ આપી સ્વામીશ્રીએ તેમને દૂષણ મુક્ત કર્યા.
(૪-૬-૨૦૦૪, એડીસન, ન્યૂજર્સી)
Vachanamrut Gems
Gadhadã III-2:
The Fruit of All Spiritual Endeavours is Satsang
“In fact, the fruit of all spiritual endeavours is satsang. In the 11th canto of the Shrimad Bhãgwat, Shri Krishna Bhagwãn says to Uddhav, ‘I am not as pleased by ashtãng-yoga, thoughts of sãnkhya, scriptural study, austerities, renunciation, yoga, sacrifices, observances, etc., as I am pleased by satsang.’ In fact, it appears to Me that all sanskãrs one has gathered from previous lives have been attained through association with the Satpurush. Even today, those who obtain sanskãrs do so through association with the Satpurush…”
[Gadhadã III-2]