પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની આત્મીયતા
લંડન મંદિરમાં એક સેવકે પોતાનો પરિચય આપતાં કહ્યું: 'મારું નામ હરેશ ને ગામ શ્રીજીપુરા.'
શ્રીજીપુરા નામ સાંભળતાં જ સ્વામીશ્રીએ સામે પ્રશ્ન પૂછ્યો. તારા બાપાનું નામ શું?'
એ કહેઃ 'રામજી છગન.'
સ્વામીશ્રીને તો શ્રીજીપુરાના એક એક ઘર અને હરિભક્તોનાં નામ-ગામ ને વંશ યાદ. સ્વામીશ્રીની ડીરેક્ટરી ખૂલી ગઈ. 'આ લોકો મૂળ ઉગામેડીના. શાસ્ત્રીજી મહારાજે જ્યારે જમીનો વસાવી ત્યારે અહીં શ્રીજીપુરામાં લાવીને વસાવેલા. આ રામજી ને દયાળ એનો ભાઈ. છગનના આ બે. છગન ને ચાર ભાઈઓ હતા. ત્રિકમ મોટા ને છગન, નારાયણ ને તળશી એવાય ચાર ભાઈઓ. આનો ભાઈ અત્યારે સારંગપુરમાં સાધુ છે. ને સૂરતવાળા પેલા મણિલાલ છે એ બધા કુટુંબી થાય.'
પેલા હરેશના હાથમાં માઈક એમ ને એમ રહી ગયું. અને સ્વામીશ્રીની આત્મીયતા અંતરમાં કોતરાઈ ગઈ.
(૨૬-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Spiritual Status
“In addition, only the contemplation of God remains within My heart, and although I outwardly meet and mingle with devotees of God, it is solely for the benefit of their jivas. Indeed, the day when I feel that I have developed affection for something other than the devotees of God, I will consider Myself as having been dislodged from My spiritual status. However, I am confident that that would never happen…”
[Gadhadã II-33]