પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૮
લંડનથી લેસ્ટર, તા. ૬-૬-૧૯૭૦
આજે લંડનથી લેસ્ટર જવા માટે બપોરે ચાર વાગે નીકળ્યા. રસ્તામાં બેનબરીમાં એક પધરામણી કરી અને લેસ્ટર સાડાઆઠ વાગે પહોંચ્યા. પહેલાં લોફબરોમાં સભામાં જવાનું હતું. બે કલાકથી લોકો રાહ જોતા બેઠા હતા. પોણા નવ વાગે લોફબરો પહોંચ્યા. અહીંથી પોણા દસ વાગે નીકળી એક પધરામણી કરી પાછા લેસ્ટર આવવા નીકળ્યા. લેસ્ટરમાં જ્યાં ઉતારો હતો એ સરનામું અમારી પાસે ન હતું. તેથી ભૂલા પડ્યા. યોગીજી મહારાજ બહુ થાકી ગયા હતા. વારે વારે કહે, 'ઉતારા ભેગા કરો...' પણ મોડું વધુ થતું જાય. અગિયાર વાગે પહોંચ્યા. પછી સ્થાનિક હરિભક્તોએ સ્વાગત કર્યું. સ્નાનાદિકથી પરવારી બાર વાગે આરામમાં પધાર્યા.
અમે ભૂલા પડ્યા તે દરમિયાન મોટરમાં સ્વામીશ્રીનું હસવું સમાતું નહોતું. એમાં એમણે એક વાત કરી. એટલા તો હસે કે આપણને શું બોલે છે, એ સમજાય નહિ. 'એક બ્રાહ્મણ સરાવતો હતો. તે કણબીના છોકરાને કહ્યું, જેમ બોલાવું એમ બોલ. પછી કહે, મારીશ. તો છોકરો કહે, હું મારીશ, એમ કહી બ્રાહ્મણને માર્યો. તે બ્રાહ્મણ અધમૂઓ થઈ ગયો ને કહે, સરાવણું નો કરવું, એમ આપણે ક્યાં જઈએ છીએ એ જ ખબર નથી.'
આમ, સ્વામીશ્રી અકળામણના ઘણા પ્રસંગોમાં રમૂજ કરી વાતાવરણ હળવું કરી દેતા. આવી જૂની જૂની રમૂજી વાતો સ્વામીશ્રી પ્રસંગોપાત્ત કરતા ને સૌને બ્રહ્માનંદ કરાવતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-6:
Don't blame someone else for one's own mistakes
“If, while offering bhakti to God, one commits a mistake, one should not blame someone else for that fault. Indeed, it is the very nature of all people that when they are at fault, they claim, ‘I made a mistake because someone else misled me; but I am not really at fault.’ One who says this, though, is an utter fool. After all, others may say, ‘Go and jump into a well!’ Then, by such words, should one really jump into a well? Of course not. Therefore, the fault lies only in the person who does the wrong, but he blames others nonetheless.”
[Gadhadã III-6]