પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૨૦
મુંબઈ, તા. ૧૦-૧-૧૯૬૭
યોગીજી મહારાજના જીવન પ્રસંગો, ઉપદેશ અને અનુભવોનો ગ્રંથ (અમૃતપર્વ) તૈયાર થઈ રહ્યો હતો. કોઈએ આ વાતના અનુસંધાનમાં યોગીજી મહારાજ આગળ કહ્યું કે 'આ ગ્રંથ સુંદર થાય, શાસ્ત્રીજી મહારાજના ગ્રંથ કરતાં પણ સુંદર થાય એવા આશીર્વાદ આપો.'
'ના, ગુરુથી ન્યૂન કરજો. ગુરુને લીધે આપણે છીએ. આપણું એમનાથી સારું ન હોય...' કાકલૂદી કરતા હોય એવી ભાષામાં સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યા. એવું બોલવામાં અને વિચારવામાં પણ મહાન અપરાધ થઈ જતો હોય, ગુરુભક્તિમાં ન્યૂનતા આવી જતી હોય એવો ભાવ સ્વામીશ્રીના મુખારવિંદ ઉપર અને શબ્દોમાં સાકાર થતો હતો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-2:
What I have explained is extremely subtle
“What I have just explained to you may appear to be simple, but in reality, it is extremely subtle. One who is currently behaving in this manner will understand that this is extremely subtle; but others will not even be able understand it. That is how subtle it is.”
[Gadhadã III-2]