પ્રેરણા પરિમલ
સમદ્રષ્ટા
તા. ૨૭-૬-૨૦૦૫, રાજકોટ
જમ્યા પછી ૧૦૦ જેટલા હરિભક્તોને મળીને સમદ્રષ્ટા સ્વામીશ્રી અહીં વરસોથી સેવા કરતા મંદબુદ્ધિના ભરતને મળ્યા. પૂર્વ જનમનું મંદિરનું લેણું ચૂકવવા માટે જ જન્મ થયો હોય એવા મમત્વથી બુદ્ધિને મંદિરના કાર્યમાં તાળું મારીને ભરત સેવા કરી રહ્યો છે. સ્વામીશ્રીએ પ્રેમથી એની સાથે દશ મિનિટ ગાળી. ભરતને કહે, 'ભરત ! શું કામ કરે છે ?'
ભરત કહે : 'સવારે હરિભક્તોની રોટલી ચોપડું છું. હરિભક્તોને જમાડું છું. હરિભક્તોનાં વાસણ ધોઉં છું. મંદિરની સાફસફાઈ કરું છું.' એણે તો લાંબું લિસ્ટ ધરી દીધું. કોઈએ વળી કહ્યું કે 'આટલી સેવા તો કરે જ છે, પણ ક્યારેક ગાળ પણ બોલી જાય છે.'
સ્વામીશ્રીએ તરત જ ભરતને કહ્યું : 'ગાળ બોલવાની બંધ કર. હરિભક્તો આવે ને અમને કહી જાય કે મંદિરમાં આવો માણસ રાખો છો ? એવું કોઈ કહી ન જાય એટલે હવેથી ગાળ ન બોલતો.'
કોઈએ વળી પૂછ્યું, 'ભરત ! લગન કરવા છે?'
'લગન તો નથી જ કરવાં.'
'કેમ ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'પસ્તાવું પડે.' ભરતના આવા જવાબથી સ્વામીશ્રી ખડખડાટ હસી પડ્યા ને કહે : 'આ પણ સમજે છે.' જો કે વાતનો દોર આગળ વધારતાં સ્વામીશ્રીએ પૂછ્યું, 'આટલા બધા હરિભક્તો લગન કરે છે એ બધા ક્યાં પસ્તાય છે?' સ્વામીશ્રીની આવી દલીલથી ભરતના અંતરની વાત બહાર આવી ગઈ.ભરત કહે : 'એ વાત તમારી સાચી, પણ આપણને ગમે એવું જોવું તો પડે ને !' આ સાંભળીને સ્વામીશ્રી વળી જોરથી હસી પડ્યા અને સાંખ્ય કરાવતાં કહે : 'ભરત ! આપણે કાંઈ જોવું કરવું નથી. અહીં સેવા કરે છે એ જ બરાબર છે.'
Vachanamrut Gems
Gadhadã II-3:
Overcoming Infatuation
"Now, while these two paths do lead to liberation, the obstacles along the way are also extremely grave. So, what should one who desires liberation do? Please answer this question."
All of the paramhansas then began to think, but no one was able to supply a suitable answer.
Shriji Mahãrãj then said, "The answer to the question is as follows: One's mind does not become infatuated on seeing one's own mother, sister or daughter, even if they are very beautiful. Moreover, even though one may talk with them, or even touch them, the mind is not even slightly infatuated. In the same manner, if one were to consider all female devotees of God as one's own mother, sister or daughter, then infatuation would not arise in any way at all. Then, by worshipping God via the amorous path, one would attain liberation."
[Gadhadã II-3]