પ્રેરણા પરિમલ
કરવાવાળા ભગવાન જ છે
તા. ૧૩ મે, ૨૦૦૭, નૈરોબી
બૅન્ક ઓફ બરોડાના બ્રાન્ચ મૅનેજરો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. કિસુમુ બ્રાન્ચના મૅનેજર કાબરાએ કહ્યું : 'આપનામાં એવી કઈ શક્તિ છે કે આપના મુખમાંથી એક શબ્દ નીકળે ને બધા કુરબાન થઈ જાય છે ?' સ્વામીશ્રી કહે, 'કામ કરવાવાળા ભગવાન છે. એમની કૃપાથી જ બધું થાય છે અને ગુરુની કૃપાથી બધું થાય છે. જે કંઈ કરીએ છીએ એમાં કરવાવાળા ભગવાન જ છે. એમની પ્રેરણા વગર કશું જ થઈ શકતું નથી. એ જ એનું રહસ્ય છે.'
કાબરા સાહેબ કહે : 'હવે આપ બીજું કયું વિશિષ્ટ કાર્ય કરવા માગો છો ?' સ્વામીશ્રી કહે : 'ભગવાન જે પ્રેરણા કરે એ કાર્ય અમે કરીએ છીએ. કારણ કે એમનાથી જ કાર્યો થાય છે. જે કંઈ કાર્ય થાય છે એમાં ભગવાનનું જ આયોજન હોય છે.'
Vachanamrut Gems
Loyã-1:
The Fruits of Gnan
"… the one with the lowest level of gnãn attains God-realisation after countless lives; the one with a moderate level of gnãn attains God-realisation after two or three lives; and the one with the highest level of gnãn attains God-realisation in that same life."
[Loyã-1]