પ્રેરણા પરિમલ
ભપકાબંધ તિલકચાંદલો કરવો.
તા. ૧૨-૫-૨૦૦૫, અમદાવાદ
મુલાકાત દરમ્યાન મોરદેવીનો વતની અને સુરત છાત્રાલયમાં ભણતા વિદ્યાર્થીએ સ્વામીશ્રી સમક્ષ નિયમ લીધો કે આજથી હું ચાંદલો નિયમિત કરીશ. એણે પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં કહ્યું કે 'પહેલાં હું તિલકચાંદલો નિયમિત કરતો હતો, પરંતુ કૉલેજમાં આવ્યો ને પ્રોફેસરોથી માંડીને બધા ખીજવવા માંડ્યા ત્યારથી મેં બંધ કર્યો હતો.'
સ્વામીશ્રી કહે : 'લોકો તો ખિજાય. આપણે એની સામે થવું નહીં. લોકો ખીજવવા માટે બોલે પણ જો આપણે સામે ન બોલીએ તો બે-ત્રણ દહાડામાં કંટાળી જાય. માટે તિલકચાંદલો કરતાં આપણે ગભરાવું નહીં. ભક્ત થયા છીએ તો ભપકાબંધ તિલકચાંદલો કરવો. તિલકચાંદલો કરવાથી સામાને ક્યાં તકલીફ પડે છે ? માટે એમાં સંકોચ ન રાખવો.'
Vachanamrut Gems
Gadhadã II-29:
Developing Deep Attachment to God Develop?
Then Muktãnand Swãmi asked, “How does such deep attachment towards God develop?” Shriji Maharaj replied, “Either due to very strong sanskars from past lives, or by serving and thus pleasing the Sant who has such firm attachment with God - these two methods help create deep attachment towards God. Besides these, there are no other methods.”
[Gadhadã II-29 ]