પ્રેરણા પરિમલ
ચલો ચલે હમ અક્ષરધામ...
તા. ૧૩-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ સુદ ૬, બુધવાર, દિલ્હી
... બ્રહ્મવિહારી સ્વામી : 'અમારા કોઈમાં કોઈ જ આવડત નથી. કેવળ આપ જ સૌને શીખવો છો. શક્તિ આપો છો અને કાર્ય કરો છો.'
અક્ષરપ્રેમ સ્વામી : 'આપના નામે પથ્થર તરે એવું છે.'
સ્વામીશ્રી મંદ હાસ્ય સાથે મહારાજની મૂર્તિ સામે જોઈને કહે : 'બધો એમનો પ્રતાપ છે. એમના બળથી થાય છે. એમના બળે જ થાય છે. કર્તા પણ એમને માનવા, એ આપણો સિદ્ધાંત છે.'
'પણ બાપા ! નિષ્ફળ થવાય ત્યારે એવું મનાતું નથી.' પરમતત્ત્વ સ્વામીએ કહ્યું.
'એ જ આપણો સિદ્ધાંત છે.' આગળ વાત કરતાં સ્વામીશ્રીએ કહ્યું : 'સફળતા મળે તો પણ એ (મહારાજ), નિષ્ફળતા મળે તો પણ એ અને હકીકતમાં તો ભગવાન આપણને નિષ્ફળતા આપે જ નહીં. કદાચ નિષ્ફળતા હોય એમાં પણ સફળતા જ છે. કોઈ મોટું વિઘ્ન આવવાનું હોય તો જ કાર્ય ન થાય. ભગવાન રક્ષા કરે, પણ (મરક મરક હસતાં હથેળીમાં આંગળીને રમાડતાં રમાડતાં) નિષ્ફળતામાં સફળતા માનવી એ ખૂબ જ અઘરું છે.' આટલું કહેતાં વાતને ફરીથી પુનરાવર્તિત કરતાં કહે : 'ખૂબ જ અઘરું છે. આપણને એમ થાય કે હું નિષ્ફળ ગયો તો મારી આબરૂનું શું ? લોકો શું કહેશે ? એમાં મૂંઝાઈ જાય અને પડતું મૂકે, પણ ભગવાન જ કર્તાહર્તા છે.'
Vachanamrut Gems
Vartãl-1:
Conviction of God's From is Nirvikalp Samadhi
“… In the same manner, regardless of whether a person has controlled his prãns or not, if he has a firm conviction of the manifest form of Shri Krishna Bhagwãn – without any form of doubts whatsoever – then he has attained nirvikalp samãdhi.”
[Vartãl-1]