પ્રેરણા પરિમલ
કષ્ઠ વેઠીને સગવડ આપી
સને ૧૯૬૫માં બ્ર?સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો હતો. મહા સુદ પાંચમનો મુખ્ય મહોત્સવ હતો. એની આગલી રાત્રે એટલે કે મહા સુદ ચોથની રાતે સ્વામીશ્રી સભાની સમગ્ર વ્યવસ્થા તથા અન્ય પૂર્વ તૈયારી પતાવી રાતના લગભગ બે વાગ્યે આરામ કરવા આવ્યા. ઠંડીના દિવસો હતા. સ્વામીશ્રી સૂતા ત્યાં જ નડિયાદના એક હરિભક્ત આવીને સ્વામીશ્રી જ્યાં સૂતા હતા, એ ઓરડાનું ખુલ્લું બારણું ખટખટાવવા માંડ્યા. સ્વામીશ્રી જાગી ગયા. પેલા ભાઈ તો બોલવા લાગ્યા કે અહીં કોઈ ધ્યાન રાખતું નથી. ઉતારો નથી મળ્યો અને ગાદલાં-ગોદડાંની વ્યવસ્થા નથી. એ ભાઈ રાતના આવા કસમયે આવેલા એટલે એવી બધી વ્યવસ્થા ક્યાંથી થાય ? સ્વામીશ્રીએ આ સાંભળીને પોતાનું ગાદલું, રજાઈ અને ઓશીકું એ ભાઈને આપી દીધું.
પછી ઓરડામાં આવીને સામાન્ય રજાઈ પર સૂઈ ગયા. સ્વામીશ્રીએ આવા કસમયે આવનારને પણ પોતે કષ્ટ વેઠીને સગવડ કરી આપી.
Vachanamrut Gems
Kãriyãni-12:
Listening to Spiritual Discourses with Faith and Love
Thereafter, Shriji Mahãrãj said, "Regardless of how lustful, angry, greedy or lewd a person may be, if he listens to these types of discourses with faith and love, all of his flaws would be eradicated…"
[Kãriyãni-12]