પ્રેરણા પરિમલ
આપ ખૂબ ભીડો વેઠો છો...
ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી વજુભાઈ વાળા અને રાજકોટ શહેરના ભાજપ પ્રમુખ શ્રી નીતિન ભારદ્વાજ પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યા હતા. મુલાકાત દરમ્યાન વજુભાઈ સ્વામીશ્રીને કહે, 'હજી આ ઉંમરે પણ આપ ખૂબ ભીડો વેઠો છો.'
સ્વામીશ્રી તરત જ કહે, 'શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે ભીડો વેઠ્યો છે, જે રીતે સેવા કરી છે, એવી સેવા તો આપણે ક્યાં કરી શકીએ છીએ? એમણે તો રાતદિવસ જોયા વગર સેવા કરી છે અને એ દા'ડે તો એવાં સાધનો પણ નહીં. ગાડું મળે તો ગાડામાં જવાનું થાય અને ના મળે તો પગે ચાલીને જવું પડે છતાં પણ બેસી રહ્યા નથી. આપણે તો શાંતિ છે, એમના જેટલો ક્યાં ભીડો વેઠીએ છીએ !'
Vachanamrut Gems
Loyã-1:
Falling from Satsang
"… Similarly, one who harbours an aversion towards the Sant should be known as having tuberculosis; he will certainly fall from Satsang sometime in the future…"
[Loyã-1]