પ્રેરણા પરિમલ
'મને બધું જ સમજાઈ ગયું!'
દારેસલામથી 'ચરણામૃત' નામનું એક અંગ્રેજી મેગેઝીન આવ્યું હતું. સત્સંગમંડળ દ્વારા દરવર્ષે આવું એક મેગેઝીન બહાર પાડવામાં આવે છે. સ્વામીશ્રીએ સામે બેઠેલા હરિસ્મરણ સ્વામીને કહ્યું, 'વાંચ.'
'અંગ્રેજી સમજતા ફાવે છે, પણ વાંચતા નહિ.' હરિસ્મરણ સ્વામીએ પોતાની મજબૂરી વ્યક્ત કરી.
'જેવું આવડે એવું વાંચને!'
સ્વામીશ્રીએ મજબૂરી જાણવા છતાં તેઓને આજ્ઞા કરી.
'વાંચીશ ખરો, પણ પછી અર્થ...?'
'વાંચી તો લે, અર્થનું કોણ પૂછે છે?'
આટલું કહીને સ્વામીશ્રીએ તેઓને અંગ્રેજી વાંચવા માટેની પ્રેરણા આપી અને સાથે સાથે આજ્ઞામાં તર્ક કામ ન લાગે એનો સદ્બોધ પણ આપ્યો.
હરિસ્મરણ સ્વામીએ થોડું ઘણું વાંચ્યું, વચ્ચે કોઈ કહે, 'હવે અર્થ કરો એટલે બાપાને સમજાય.'
આ સાંભળીને તરત સ્વામીશ્રી કહે, 'મને બધું જ સમજાઈ ગયું. અર્થની કાંઈ જરૂર નથી.'
હરિસ્મરણ સ્વામીએ કેવળ આજ્ઞા પાળી એમાં જાણે સ્વામીશ્રીનો રાજીપો મળી ગયો. (૧૧-૧૧-૨૦૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Loyã-2.7:
Absolute Faith in the Words of God and His Sant
"… One who has faith has established absolute faith in the words of God and His Sant. Therefore, by the strength of his faith in God, he does not harbour any fear of death. Also, he believes, 'I have attained the manifest form of Purushottam Bhagwãn, and thus I am fulfilled.' "
[Loyã-2.7]