પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-11-2017, મુંબઈ
આજે સ્વામીશ્રીની મુલાકાતે પધારેલા ડૉ. અનિલ સાંગાનેરિયાની વાત કરતાં અમૃતવદનદાસ સ્વામીએ કહ્યું કે તેઓ અહીંની ખ્યાતનામ હૉસ્પિટલ જેવી કે બોમ્બે હૉસ્પિટલ, બ્રિચકેન્ડી હૉસ્પિટલ, ખંભાલા હિલ હૉસ્પિટલ વગેરે સાથે કાર્ય કરી રહેલા જાણીતા ઓન્કોલૉજિસ્ટ (કેન્સરના ડૉક્ટર) છે. સાથે ખૂબ સારા કલાકાર પણ છે. આપને મળીને પોતાનો અભિપ્રાય જણાવતાં તેમણે કહ્યું :
‘Guruji is a great symbol of humility, humanity, simplicity, silence and solitude. Being with him even for few moments felt like meditation. Extremely peaceful, soothing. As if he silently transmits salvation in all of us, all around.
Really,
A Grand, Gracious, Godly Guruji.’
ગુરુજી (મહંત સ્વામી મહારાજ) નિર્માનીપણું, માનવતા, સાદગી, મૌન અને એકાંતનું મહાન પ્રતીક છે. તેમની સાથે વિતાવેલી થોડી જ ક્ષણો પણ સમાધિ કરાવે છે. તેઓ એકદમ પ્રશાંત અને સુખદાયક છે. જાણે કે તેઓ શાંતિથી આપણામાં અને સૃષ્ટિમાં મોક્ષને પ્રસારિત કરે છે. ગુરુજી ખરેખર ભવ્ય, કૃપાળુ અને ભગવાનનું સ્વરૂપ છે.’
આપને મળીને તે એમ પણ બોલ્યા હતા : ‘શું ચહેરો છે સ્વામીનો ! Very Vibrant (ખૂબ તેજસ્વી).’
પછી અમૃતવદનદાસ સ્વામીએ પૂછ્યું : ‘સ્વામી ! આપના મુખ પર તેજ તેજ દેખાય છે, એનું કારણ શું ?’
‘ભગવાન અંદર છે.’ સ્વામીશ્રી સહજમાં બોલી ઊઠ્યા.
આગળ અમૃતવદનદાસ સ્વામીએ બીજો એક પ્રશ્ન પૂછ્યો કે ‘સ્વામી ! આપને એવું ક્યારે લાગ્યું કે આપનામાં વિશેષ ભગવાનનો પ્રવેશ થયો ?’
સ્વામીશ્રી ભાર દઈને કહે : ‘મહારાજ છે જ.’
આ ત્રણ શબ્દો સ્વામીશ્રીની અનાદિની સિદ્ધાઈ પુરવાર કરે છે.
Vachanamrut Gems
Gadhadã II-67:
The Master-Servant Relationship with God Always Remains
“… Similarly, God’s greatness is unfathomable; there is no way in which it can either increase or decrease. For this reason, then, those devotees of God who become brahmaswarup, still behave as God’s servants and engage in His worship. In this way, devotees of God attain qualities similar to those of God, and yet, the master-servant relationship between them is maintained. That is the answer to the question.”
[Gadhadã II-67]