પ્રેરણા પરિમલ
ભોજન દરમ્યાન...
ભોજન દરમ્યાન ડુંગરી-ટીમ્બાનો એક યુવક સ્વામીશ્રી આગળ આવ્યો. ડુંગરી-ટીમ્બાનું નામ સાંભળતાં જ સ્વામીશ્રીએ પૂછ્યું : 'તું કોનો દીકરો ?'
'હરિભાઈનો.'
સ્વામીશ્રી તરત જ બોલવા માંડ્યા : 'હરિભાઈ ગોવિંદભાઈ, ગોવિંદભાઈ મથુરભાઈ, મૂળ સારસાના...'
પોતાની પેઢીઓની વાત સ્વામીશ્રીના મુખેથી વહેતી જોઈને એ યુવક સ્વામીશ્રી સાથે આત્મીયતાના તારે જોડાઈ ગયો. ત્યારપછી સ્વામીશ્રીએ આત્મીયતાથી એને નિયમિત સત્સંગ કરવા કહ્યું અને તે યુવક વચનબદ્ધ થઈ ગયો. રોજ સેંકડો હરિભક્તોને મળતા અને હજારો ગામોમાં વિચરતાં સ્વામીશ્રીને આવાં અસંખ્ય કુટુંબો પ્રત્યે કેવી સ્વજનશી આત્મીયતા છે ! હરિભક્તો પ્રત્યેની અપાર મહિમાદૃષ્ટિ હોય તો જ વિનાપ્રયાસ આ શક્ય બને.
(તા. ૨૫-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Sãrangpur-6:
God Is Within Us
"… That same Purushottam Bhagwãn resides in the jiva as antaryãmi. He is independent, yet interwoven with the three states of the jiva. That same God assumes an avatãr on this earth to liberate the jivas…"
[Sãrangpur-6]