પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-4-2017, દાર-એ-સલામ
આજે પૂજા બાદ સંતો સ્વામીશ્રીને વીંટળાઈ વળ્યા. સ્વામીશ્રી શિક્ષાપત્રીના વાંચન વખતે રોજ પ્રારંભિક પૃષ્ઠમાંથી કંઈક વાંચન કરે છે તેના અનુસંધાનમાં સેવકે પ્રશ્ન પૂછ્યો કે ‘આપ રોજ શરૂઆતના પેજમાં શું વાંચો છો ?’
સ્વામીશ્રી કહે : ‘બાપાની સહી છે ને !’
સ્વામીશ્રી જે શિક્ષાપત્રીનું વાંચન કરે છે તેમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ લખી સહી કરેલી છે. સ્વામીશ્રી રોજ તેનાથી શિક્ષાપત્રીના વાંચનનો આરંભ કરે છે. પછી સ્વામીશ્રી કહે : ‘(એમાં બાપાની) મૂર્તિ એકદમ ઊઠી આવે.’ આ બોલતાં બોલતાં પણ સ્વામીશ્રી એવા ભાવથી બોલતા હતા - જાણે ગુરુહરિની એ મૂર્તિ અત્યારે પણ તેમની સમક્ષ ઊભરી ન આવી હોય !
Vachanamrut Gems
Gadhadã II-9:
Fruits of Conviction
"… Therefore, there is no limit to the merits of one who, at this present time, has a conviction of Satsang. Realising this, those who are satsangis should consider themselves to be totally fulfilled…"
[Gadhadã II-9]