પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-4-2017, કમ્પાલા
સ્વામીશ્રીએ પૂજાના અંતે શિક્ષાપત્રી-વાંચન શરૂ કર્યું. નિત્યક્રમ મુજબ સેવકે પ્રાર્થના ઝિલાવાની શરૂઆત કરી. પણ સ્વામીશ્રીએ તે અટકાવીને માઇક માગ્યું... ઝડપથી માઇક સ્વામીશ્રીને આપવામાં આવ્યું.
સ્વામીશ્રીએ ગંભીર સ્વરે કહ્યું: ‘હમણાં કીર્તન ગાયું ને ! (પૂજા દરમિયાન એક હરિભક્તે : ‘મહંત સ્વામી મહારાજ મને બહુ ગમે છે, કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે...’ એ ધ્રુવપંક્તિવાળું કીર્તન ગાયું હતું, તેના સંદર્ભમાં સ્વામીશ્રી બોલ્યા...) બધી વાત સાચી, પણ આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ... અને ઇષ્ટદેવ શ્રીજીમહારાજનું નામ રહી ગયું, એવું ન કરવું. બધી વાત સાચી, પણ માથું રહી ગયું, બીજાં બધાં અંગો આવી ગયાં...’
સ્વામીશ્રી પોતાના મહિમા કે નામને બીજાં અંગો સાથે અને મહારાજ અને ગુરુવર્યોના મહિમા અને નામને માથા સાથે સરખાવી રહ્યા હતા.
અહીં આપણા મંદિરની પાછળ નૂતન સંતનિવાસના મકાનનો પ્રૅજેક્ટ પ્રારંભ થવાનો છે. શિક્ષાપત્રીના વાંચન બાદ સ્વામીશ્રીએ તેની શિલાઓ પર હરિકૃષ્ણ મહારાજને વિરાજમાન કરી તથા તે શિલાઓ પર પુષ્પ પધરાવીને તેનું પૂજન કર્યું. પછી પાછળ ફરીને સેવક સંત પાસે પુષ્પ માગ્યું. શિલાઓ પર તો પુષ્પ પધરાવાઈ ગયાં હતાં, તો હવે શા માટે ? ‘કદાચ વધુ પુષ્પ પધરાવવાં હશે’ - તેવા વિચારો સાથે સ્વામીશ્રીના હસ્તમાં સેવક સંતે પુષ્પ આપ્યું.
સ્વામીશ્રીએ તેઓના ડાબા હાથે બેઠેલા સંગીતજ્ઞ હરિભક્તો તરફ જોઈને કહ્યું : ‘પેલું કીર્તન ગાયું ને, તે ?’
પેલા હરિભક્ત તરત સ્વામીશ્રી પાસે પહોંચી ગયા. સ્વામીશ્રીએ તે ફૂલ તેમના હાથમાં મૂકતાં ફરી કહ્યું : ‘બીજું બરાબર છે, પણ...’
તે હરિભક્તે સ્વામીશ્રીનાં ચરણોમાં ક્ષમાના ભાવ સાથે મસ્તક ઝુકાવી દીધું હતું... તેમણે કહ્યું : ‘આ કીર્તનમાં પ્રમુખસ્વામી મહારાજની લીટી ઉમેરી દેશું...’
સ્વામીશ્રીના મુખ પર રાજીપાનું સ્મિત રમી રહ્યું.
સાચી વાત સમજાવવાની કેવી પ્રેમાળ રીત ! અને ગુરુ પ્રત્યેની કેવી અલૌકિક ગુરુભક્તિ !! આ બંને અણમોલ શીખ શીખવીને સ્વામીશ્રીએ વિદાય લીધી.
Vachanamrut Gems
Gadhadã II-13:
Purity and Purpose of Shriji Maharj's Discourses
"… Please listen very attentively to what I am about to say. What I am about to say to you, I say not out of any pretence, or out of any self-conceit, or to spread My own greatness. Rather, it is because I feel that amongst all of you sãdhus and devotees, if someone can understand My message, it will tremendously benefit that person; that is My purpose in narrating it. Moreover, this discourse is based on what I have seen and realised through My own experience. In fact, it is also in agreement with the scriptures…"
[Gadhadã II-13]