પ્રેરણા પરિમલ
સત્સંગ કરાવવા થોડો સમય કાઢવો જોઈએ
સ્વામીશ્રી ઠાકોરજી જમાડી રહ્યા હતા. તે વખતે આસ્ટનથી પૂજારી પુરુષોત્તમભાઈ દાસ દર્શને આવ્યા. સત્સંગની સેવા કરવાની તેઓની ધગશની વાત કરતાં આત્મસ્વરૂપ સ્વામી કહેઃ 'આ દાસભાઈ ખરેખરા ભગત છે. રોજ બપોરે ભારતીય વસ્તીની એક શેરી પસંદ કરે છે અને જે કોઈ રસ્તામાં આવે એનો સંપર્ક કરીને સત્સંગની વાતો કરે છે. રોજ આ રીતે બે કલાક સત્સંગ પ્રચાર માટે ફાળવે છે. આ રીતે તેઓએ અત્યાર સુધીમાં બાવીસ વ્યક્તિઓને સત્સંગ કરાવ્યો છે. મંદિરને કોઈ આર્થિક બોજો ન રહે એ માટે પણ તેઓ સતત હરિભક્તો ને મુમુક્ષુઓમાં ફરીને કાયમી થાળની વાત કરે છે અને અઠવાડિયે જો એક પણ થાળ ન નોંધાય તો સોમવારે ઉપવાસ કરે છે, પરંતુ હજુ સુધી એવો કોઈ વારો આવ્યો નથી. આખા વર્ષના થાળ બંધાવવાની તેઓની નેમ છે.'
સ્વામીશ્રીની કૃપા આ હરિભક્ત ઉપર અનાયાસે વરસી ગઈ. સ્વામીશ્રી કહે : 'બધા હરિભક્તોએ આ દાસભાઈની જેમ સત્સંગ કરાવવા થોડો સમય કાઢવો જોઈએ. એમ કરવાથી મહારાજ-સ્વામી રાજી થાય. જોગીબાપાના સંકલ્પમાં ભળ્યાનું પુણ્ય મળે.' આમ કહી સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા.
(તા. ૮-૫-૨૦૦૪, શનિવાર, લંડન)
Vachanamrut Gems
Sãrangpur-18:
Swabhavs Can Be Destroyed
Then Shriji Mahãrãj continued, "If a person has some swabhãvs, and he thoughtfully attempts to eradicate them by associating with the Sant, then they can be destroyed. However, a person's vicious swabhãvs will not be eradicated if he foolishly applies any other methods…"
[Sãrangpur-18]