પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૧
ગોંડલ, તા. ૨૦-૧૧-૧૯૬૯
આજે પ્રબોધિની એકાદશી હતી. પૂજા પછી યોગીજી મહારાજે સૌને પ્રસાદ વહેંચવાની ના પાડી. પોતે આરતીમાં પધાર્યા. થોડીવાર હતી એટલે બારીના ગોખમાં બેઠા ને કહે, 'આ એકાદશીએ અમદાવાદ હોઈએ. સવારે નીકળી જઈએ, તે મંદિરે (કાળુપુર) દર્શન કરી, મિસ્ત્રીને મેડે સભા થાય ને પછી આંબલીવાળી પોળ ને બધે પધરામણીએ જઈએ. શાસ્ત્રીજી મહારાજ મિસ્ત્રીને મેડે પધારતા ને સભા કરતા. શાસ્ત્રીજી મહારાજના વખતથી સભા થાય છે.'
'આપ સાથે હો ?' નિરંજન સ્વામીએ પૂછ્યું.
'દીકરો તો સાથે હોય જ ને !' એમ કેફમાં બોલ્યા.
પછી આરતી કરી, દર્શન કરી, રસ્તામાં જે મળે તે બધાંને કહે, 'આજે ઉપવાસ કરવાનો.' નીચે આવતાં દેરી આગળ નડિયાદ મંડળ મળ્યું. તેમને નિર્જળ ઉપવાસ કરવાનું કહ્યું. દેરીમાં મોટી ઉંમરના જૂના હરિભક્ત હીરજીભાઈને નિર્જળ ઉપવાસ કરવાનું કહ્યું. પછી બહાર નીકળી આૅફિસ આગળ એક વૃદ્ધ પટેલ હતા ગોપાળભાઈને ઉપવાસ કરવાનું કહ્યું. ત્રિભુવન માસ્તરને કહ્યું. એ કહે, 'મેં જિંદગીમાં કર્યો નથી.'
'કો' કરીશ,' સ્વામીશ્રીએ આગ્રહ કર્યો. સભામંડપનાં પગથિયાં ચઢતાં મિસ્ત્રીના નાના દીકરા જયંતીને પણ ઉપવાસની યાદ આપીને 'ચાલો આરામમાં,' કહી આરામમાં પધાર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-1:
What Causes Infatuation?
"Therefore, the panchvishays are the cause of infatuation. Moreover, there are three grades of those vishays - superior, average and inferior. Of these, if a person who has obtained superior vishays encounters someone who obstructs him from them, then that person becomes angry on the latter. From that anger, infatuation develops."
[Gadhadã II-1]