પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૮
ગોંડલ, તા. ૩-૧૨-૧૯૬૯
અગિયાર વાગે કંપાલાના આર. યુ. પટેલ આવી પહોંચ્યા. યોગીજી મહારાજ એમને ભેટ્યા-મળ્યા. બહુ રાજીપો બતાવ્યો. આશીર્વાદ આપ્યા. એમને ડાયાબિટીસની તકલીફ હતી એટલે એ હંમેશાં થુલાની ભાખરી ને કારેલાનું શાક જમતા, સ્વામીશ્રીએ જાહેરમાં જ પૂછપરછ શરૂ કરી, 'શું જમશો ?' વગેરે સભામાં માઇક ઉપર જ વાર્તાલાપ કર્યો અને પછી તેમની વ્યવસ્થા કરવા સેવકોને સૂચના આપી.
સ્વામીશ્રીના જીવનમાં ખાનગી જેવું કંઈ નહોતું. ઘણીવાર તેઓ જાહેરમાં કહેતા, 'સાંભળો, એક ખાનગી વાત કરીએ.' એમ કહી જાહેરમાં ખાનગી કરતા. સભાની ખોટી અદબ કે એવો ખોટો શિષ્ટાચાર બતાવતા નહિ. એમનું જીવન - જીવનની દરેક ક્રિયા જાહેર હતી. ઘણીવાર તો કથાવાર્તાના ગંભીર પ્રસંગોમાં પણ કોઈ જરૂરી ચર્ચા - પછી તે એકાદ વ્યક્તિને લગતી હોય, તોપણ જાહેરમાં જ કરતા, શ્રીજીમહારાજ માટે જૂનાગઢના નવાબે કહેલું કે 'ખુદાને કોની અદબ હોય !' એવું સ્વામીશ્રીના જીવનમાં જોવા મળતું.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-10:
When Maya can Disturb and not Disturb a Person
"… Similarly, mãyã, in the form of the antahkaran, would never entertain a desire to daunt a person who has a firm refuge in God. Rather, it would help his bhakti to flourish. However, mãyã does deflect a person who has a slight deficiency in his refuge in God and does cause him misery. Then, when that person develops a complete refuge in God, mãyã is not able to disturb him or cause him pain. Therefore, the answer is that if a person has such complete faith in God, mãyã is not capable of causing him misery."
[Loyã-10]