પ્રેરણા પરિમલ
પ્રત્યેક પળ સેવામય... ભક્તિમય!
આજે સ્વામીશ્રીના સ્વાસ્થ્યનું ચેકિંગ હતું. ડૉ. મામતોરા અને ડૉ. મહેન્દ્રભાઈએ સ્વામીશ્રીને તપાસ્યા. ડૉ. મહેન્દ્રભાઈએ સ્વામીશ્રીનું બી.પી. માપ્યું. ૧૦૦ અને ૬૨ બી.પી. અત્યારે હતું અને નાડી ૫૮ હતી. થોડા પાણી સાથે એક ગોળી સ્વામીશ્રીએ લીધા પછી પત્રવાંચનમાં વ્યસ્ત રહ્યા. ૮-૪૫ વાગ્યે સ્વામીશ્રીને હૉસ્પિટલમાં જવા નીકળવાનું હતું.
સ્વામીશ્રી ધીરુભાઈની કારમાં વિરાજીને હૉસ્પિટલમાં જવા નીકળ્યા. આજે થોડીક વાર થઈ હશે ને સ્વામીશ્રીએ પૂછ્યું : 'પત્રો વાંચવાના છે ?'
'હા.'
'લાવો.' ચશ્માં પહેરી અને સ્વામીશ્રી પત્રો વાંચવામાં વ્યસ્ત થયા.
સ્વામીશ્રીને સીધા જ એન્જિયોગ્રાફી માટેના રૂમમાં લઈ જવામાં આવ્યા. અન્ય તૈયારી થતાં સુધી સ્વામીશ્રીની દૃષ્ટિ એ વ્યવસ્થા તરફ ન હતી. સ્વામીશ્રી સાથે લીધેલા હરિકૃષ્ણ મહારાજની વ્યવસ્થામાં વ્યસ્ત હતા - ઠાકોરજીને ક્યાં રાખીશું ? પોતે જ કહે : 'ડાબી તરફના એવા ખૂણે રાખો કે જ્યાં દર્શન થઈ શકે.' સેવકોએ વ્યવસ્થા પૂરી કરી એટલે ડૉક્ટરોએ સી.ટી. સ્કેનના મુવેબલ સ્ટ્રેચર ઉપર સ્વામીશ્રીને વિરાજમાન કર્યા.
સ્વામીશ્રીની પ્રત્યેક પળ સેવામય અને ભક્તિમય હોય છે, ચાહે શરીરની ભલે ગમે તે સ્થિતિ હોય !
(તા. ૧૭-૫-૨૦૦૪, ન્યૂયોર્ક)
Vachanamrut Gems
Loyã-17.5:
The Danger of not Having an Aversion Towards the Vishays
"… Furthermore, if someone has firm faith in God but lacks an extreme aversion towards the vishays and is still attracted to them, then even if a person like Muktãnand Swãmi were to denounce those objects, he would go as far as to cut off the person's head with a sword in order to harm that person."
[Loyã-17.5]